________________
જીત.... ભાગ-૨
રામ-લક્ષ્મણને
જે શ્રી રામચંદ્રજીને અપરમાતાની માંગણીથી સંતોષ થયો, તે શ્રી રામચંદ્રજીને પિતાએ આ વાતમાં પોતાને પૂછ્યું એથી ઘણું દુ:ખ થયું કારણકે એથી શ્રી રામચંદ્રજીને એમ લાગ્યું કે આથી જનતાને એમ માનવાનું કારણ મળશે કે ‘રામ અવિનીત હશે ?' આવા કાર્યમાં પણ પિતા પુત્રને પૂછે એમાં પુત્રની અવિનયશીલતા જાહેર
થઈ જાય એમ ઉત્તમપુત્રો માનતા. પિતાએ પુત્રને પૂછવાનું હોય જ ઝું શાનું? પુત્ર તો પિતાને આધીન જ હોય, એટલે પિતાજી પોતાને
પૂછે, એમાં પણ જે શ્રી રામચંદ્રજીને દુઃખ થાય એ કઈ જાતની વિનયશીલતા એ વિચારો ! જે રાજ્ય ઉપર રાજ્યનીતિને અનુસરીને પોતાની માલિકી છે. તે છતાં પણ આ દશા. એ શું ઓછી પિતૃભક્તિ છે ? આવી પિતૃભક્તિ તેઓ જ કરી શકે કે જેઓ ત્યાગમય સંસ્કારમાં ઉછરવાથી અનુપમ ઉદારતાના ઉપાસક બનેલા હોય.
પુત્ર એ તો પિતાનો એક અદનો સેવક છે, એ સેવકપણાના યોગે પિતાની કોઈ પણ આજ્ઞા માત્ર તે ધર્મની ઘાત કરનારી ન હોવી જોઈએ તે માનવાને બંધાયેલો છે. એથી જ શ્રી રામચંદ્રજીએ કહ્યું કે પિતાજી ! આ રાજ્ય પોતાની સત્તાથી એક બંદીને આપી દે તો પણ મારા જેવા એક અદના સેવકને એમાં નિષેધ કરવાનો કે અનુમતિ આપવાનો અધિકાર નથી.'
આજ્ઞાધીનતા કોણ દર્શાવી શકે ? આ જાતની આજ્ઞાધીનતા સુસંસ્કારી અને ઉદાર દીકરાઓ જ દર્શાવી શકે છે. સંસ્કારહીન અને શુદ્ર દીકરાઓ આવી આજ્ઞાધીનતા
કોઈપણ કાળે દર્શાવી શકતા નથી. આવી આજ્ઞાધીનતા કેળવ્યા દિ વિના પિતૃભક્ત હોવાનો દાવો કરવો. એ પિતૃભક્તપણાનું અપમાન
છે. ધર્મઘાતક આજ્ઞાની સામે થવાનો પુત્રને જેમ અધિકાર છે. તેમ ધર્મનો ઘાત નહિ કરનારી જે આજ્ઞાઓ તે આજ્ઞાઓને આધીન
થવાની જ છે. એ ફરજનું પાલન નહિ કરનારા પુત્રો પિતાના 8. વૈરીની જ ગરજ સારે છે. એવા વૈરી પુત્રોના પિતા બનવા કરતાં