________________
સ૮૮. ભ૮-૨
10
રિમ-લ
વાહનમાંથી આમની ઉતરવાની ક્રિયા અને પહાડ ચઢવાની ક્રિયા જોતા જરૂર જ શ્રી વજબાહુકુમાર ઉપર જઈને દીક્ષા અંગીકાર કરશે જ. એમ શ્રી ઉદયસુંદરને લાગ્યું.
આથી મોહમગ્ન શ્રી ઉદયસુંદર શ્રી વજબાહુને એકદમ સમજાવી લેવાના હેતુથી કહેવા લાગ્યા કે, વઘાડું મથાવાઢી - ઢીમવાહનનંઢનઃ ? स्वामिन ! मापताजीरद्य, धिङमे नर्माभिभाषिणम् ॥ नर्मोक्तिरावयोरासीत्, को ढोषस्तव्यतिक्रमे । नर्मोक्तिर्न हि सत्यैव, प्रायो धवलगीतवत् ॥ भविष्यसि सहायस्त्वं, व्यसनेष्वखिलेष्वपि । કૃત્યdiાંદેડ મા માં-રમપુનમનોરથાર્ ૪ इदमद्यापि मांगल्यं, तव हस्तेऽस्ति कंकणम् । तद्धिवाहफलं भोगान्, सहसा कथमुज्झसि ।। सांसारिक सुखास्वाद-वंचितेयं मनोरमा । जीविष्यति कथं नाथ !, त्वया तृणवदुज्झिता ॥
“હે સ્વામિન્ ! આપ ઘક્ષા અંગીકાર ન કરો અને મારા ઉપહાસભર્યા કથનને ધિક્કાર હો ! ખરેખર, હે સ્વામિન્ ! આપણી પરસ્પર થયેલી વાતો એ સાચી વાતો ન હતી. પણ આપણી વચ્ચે થયેલી એ નર્મોક્તિ એટલે કુતૂહલની વાતો હતી, માટે તેવી કુતૂહલની વાતોનું ઉલ્લંઘન કરવામાં ઘેષ શું છે ? ઘણું કરીને કુતૂહલની વાતો ધવલગીતની જેમ સત્ય જ હોય એમ નથી હોતું અર્થાત્ જેમ ધવલગીતમાં ગવાતી વાતો ઘણું કરીને સાચી જ હોય છે એમ નથી હોતું. તેમ કુતૂહલની વાતોમાં પણ કહેવાયેલી વસ્તુ સાચી જ હોય એમ નથી હોતું. માટે આપણી વચ્ચે થયેલી વાતોએ સાચી વાતો ન હતી, પણ માત્ર કુતૂહલવી જ વાતો હતી, માટે એ વાતોને સત્ય માનીને તેનો અમલ કરવાની જરૂર નથી. તેથી આપ સઘળાં સંકટોમાં અમને સહાયક થશો. આ પ્રમાણેના અમારા કુળના મનોરથોને પણ આપ અકાળે ન ભાંગી નાખો. વિશેષમાં હે સ્વામિન્ ! હજુ મંગળના ચિહ્નરૂપ આ કંકણ તો આપના હાથમાં જ છે, તે કારણથી વિવાહના ફળરૂપ ભોગોને આપ એકદમ કેમ ત્યજી ઘો છો ? તેમજ હે નાથ ! સાંસારિક સુખના આસ્વાદથી વંચિત અને આપે તરણાની જેમ ત્યજી શૈધેલી મારી બેન આ મનોરમા કેવી રીતે જીવી શકશે?"
દઈ ના