________________
સીતા ભાગ-૨
રામ-લક્ષમણને
नेहबन्धो ढुच्छेज्जो जीवलोगम्मि “ખરેખર આ જીવલોકમાં સ્નેહનો બંધ દુ:ખપૂર્વક છેદી શકાય તેવો છે.” નહિતર,
तायस्स किं व कीरड़, पवज्जाववसियस्स पुढईए । पुत्तं ठावेड रज्जे, जेणं चिय पालवठाए ॥१॥ आसलेण किमत्थं, इमेण खणभंगुरेण देहेण । डुरट्ठिएसु अहियं, कावत्था बंधवेसु भवे ।। एक्कोऽत्थ एस जीवो, दुहपायवसंकुले भवारण्णे । भमड़ च्चिय मोहन्धो, पुणरवि तत्थेव तत्थेव ।।
પ્રવ્રજ્યા લેવાને સજ્જ એવા પિતાશ્રીને પૃથ્વીનું શું કરવું છે કે જેથી પિતાશ્રી તેનું પાલન કરવા માટે પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરે છે ? અર્થાત્ આ રીતે પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરવાનો પ્રયત્ન પ્રવ્રજ્યા માટે સજ્જ થયેલા પિતાને કરવો એ કોઈ પણ રીતે યોગ્ય નથી. પણ થાય શું? કારણકે સ્નેહનું બંધન ખરે જ દુરુચ્છેદ છે.” વળી પાસે રહેવા છતાં પણ ક્ષણભંગુર એવા આ દેહથી પણ શું છે? કે જેથી એની ચિંતા કરવી પડે? શરીરથી અધિક દૂર રહેલા એવા બંધુઓની પણ આ સંસારમાં કેવી અવસ્થા છે? અર્થાત્ આ એકદમ પાસે રહેલા શરીરની ચિંતા કરવી એ પણ ફેગટ છે, કારણકે એ ક્ષણભંગુર છે, ક્ષણે-ક્ષણે એમાં પરિવર્તન થયા કરે છે અને રક્ષણ કરવા છતાં પણ એ નાશ જ પામવાનું છે. એ જ રીતે શરીર કરતાં આત્માથી અધિક દૂર રહેલા બંધુઓ કે જેઓની અવસ્થા કર્મના પ્રતાપે આ સંસારમાં વિચિત્ર થઈ રહી છે, એટલે તેઓની પણ તુચ્છ સ્વાર્થમય ચિંતા કરવી એ સર્વથા વ્યર્થ છે. અને આત્મહિતની દૃષ્ટિએ હાનિકારક છે. કારણકે મોહથી અંધ બનેલો આ જીવ દુઃખરૂપ પાદપોથી અવિરતપણે ભરેલા આ સંસારરૂપ અરણ્યમાં ફરીફરીને પણ ત્યાંને ત્યાં જ ભ્રમણ કર્યા જ કરે છે.
શ્રી ભરતની આ વિચારણા ખૂબ જ વિચારણીય છે. વિરક્ત ® આત્મા પણ ત્યાજ્ય વસ્તુઓની વ્યવસ્થાનો વિચાર કરે છે. એ પણ
મોહનો જ વિલાસ છે. આ વાત શ્રી ભારતની વિચારણા સ્પષ્ટ કરે ૩ છે. મોહ આત્માને ક્યાં સુધી મૂંઝવે છે? એ વસ્તુ આ શ્રી ભરતની
વિચારણાથી ખૂબ-ખૂબ ખુલ્લી થઈ જાય છે. મોહની સત્તા આત્મા