________________
ભ(ગ-૨
રામ-લક્ષ્મણ
પાણી મહારાજાએ અન્ય સઘળીય રાણીઓ ઉપર મોકલ્યું અને હું પટ્ટરાણી હોવા છતાં પણ મારી ઉપર ન મોકલ્યું. એ સૂચવે છે કે મહારાજાની મહેરબાની અન્ય રાણીઓ ઉપર છે, પણ હું પટ્ટરાણી છું તે છતાંય મારી ઉપર નથી. તે કારણથી મંદભાગ્યવતી એવી મારે હવે જીવવાએ કરીને પણ સર્યું, અર્થાત્ મારા માટે હવે જીવવું એ પણ નકામું છે, કારણકે માનનો નાશ થયા પછી જીવવું એ મરણ કરતા પણ વધુ દુ:ખદાયી છે એટલે હવે તો જીવવા કરતાં પણ મરવું સારું છે.”
આ પ્રમાણે વિચારીને શ્રી દશરથ મહારાજાની પટ્ટરાણી ૨૩૦
કૌશલ્યાએ તો મરવાનો જ નિશ્ચય કર્યો, મરવાનો મજબૂત નિશ્ચય કરીને એ મનસ્વિનીએ અંદરના ખંડમાં પ્રવેશ કર્યો. વસ્ત્ર દ્વારા પોતાને ઉંચે બાંધવાનો એટલે કે ફાંસો ખાવાનો આરંભ કર્યો.
ભાગ્યવાનો ! વિચારો કે આ સંસારમાં વસતા આત્માઓ વિષય-કષાયના યોગે કેવી-કેવી અવસ્થામાં ક્ષણેક્ષણે અથડાઈ પડે છે ? એક માનના કારણે અત્યારે મહારાણીએ થોડી પણ ધીરજ ધર્યા વિના એકદમ કેવો કારમો આરંભ કરી દીધો છે ? જો કે ભાગ્યવાન્ આત્માઓ કદીપણ આવા અકાળ મરણ કરીને પ્રાય: મરતા નથી. પરંતુ આ પ્રયત્ન તો અકાળ મરણનો જ છે ને ? સમ્યગ્દષ્ટિ આત્માએ આવા કારણે સદાય મોહાદિકથી સાવધ રહેવાનું છે અન્યથા મોહાદિ શત્રુઓ પ્રસંગ પામીને સમ્યગ્દષ્ટિ આત્માને પણ છળ્યા
વિના રહેતા નથી. સમદષ્ટિ આત્માઓએ વિષય અને મ9િ કષાયથી ખૂબ જ સાવચેત રહેવાનું છે. અન્યથા એ શત્રુઓ છક્કડ (2 ખવડાવ્યા વિના રહે તેમ જ નથી. માન કષાયના કારણે આ પટ્ટરાણી R તો જાતે મરવાને તૈયાર થયેલ છે, પણ આપણે આજે એ પણ જોઈ ઉં રહો છીએ કે માન કષાયને આધીન થઈને મહાપુરુષ તરીકે
ગણાતાઓ પણ ભાવથી પોતે મરવા સાથે અનેકોના ભાવને મારી