________________
'સુખ દુઃખની ઘટમાળ અને વિરક્ત શ્રી દશરથ
સુખ દુઃખની ઘટમાળ છે
સીતાનો સ્વયંવર મંડપ અને દ્વારપાલની ઉદ્ઘોષણા
આપણે જોઈ ગયા કે શ્રી જનકમારાજાને ચંદ્રગતિ રાજાના બળાત્કારથી કારમી પ્રતિજ્ઞા લેવી પડી અને એ પ્રતિજ્ઞાના શ્રવણથી શ્રીમતી વિદેહાદેવીને કારમું દુઃખ થયું. એ કારમાં દુ:ખના યોગે કરૂણાજનક વિલાપ કરતી શ્રીમતી વિદેહાદેવીને સમજાવીને શ્રી જનકરાજાએ સવારના પહોરમાં જ બંનેય ધનુષ્યરત્નોની અર્ચના પૂજા કરીને મંચોથી મંડિત એવા મંડપમાં એ બંનેય ધનુષ્યરત્નોને મૂક્યાં. શ્રીમતી સીતાદેવીનાં સ્વયંવર માટે શ્રી જનક મહારાજાએ બોલાવેલા વિદ્યાધરોના અને મનુષ્યના રાજાઓ તે મંડપમાં આવીને મંચો ઉપર બેઠા.
વિદ્યાધરોના અને મનુષ્યોના અનેક રાજાઓથી સ્વયંવર મંડપ અલંકૃત થઈ ગયા બાદ સખીઓથી પરિવરેલી, દિવ્ય અલંકારોને ધારણ કરનારી અને ભૂમિ ઉપર ચાલનારી દેવીના જેવી શ્રીમતી સીતા તે સ્વયંવર મંડપમાં આવી. લોકોના નેત્રોના માટે સુધાની સરિતા જેવી શ્રીમતી સીતા, ધનુષ્યની પૂજા કરીને અને શ્રી રામચંદ્રજીને મનમાં રાખીને તે મંડપમાં આવી ઊભી રહી. મંડપમાં આવીને ઊભી રહેલી શ્રીમતી સીતાના દર્શનથી શ્રી ભામંડલને એમ
અને વિરકત શ્રી દશરથ...૧૦