________________
વિચારો કે કુલીન આત્માઓની કુલીનતા કેવી હોઈ શકે ? કુલીન આત્માઓ પોતાના વડીલોની સમક્ષ પોતાની પામર દશાના પ્રલાપો કરવાની ધૃષ્ટતા કેમ જ કરી શકે ? કુલીનતાની આ જાતની મર્યાદા આત્માને અનાચારથી એકદમ બચાવી લે છે. સ્વતંત્રતાના નામે આજે જેઓ મર્યાદાનું લીલામ કરી-કરાવી રહ્યાં છે, તેઓ અનાચારને આમંત્રણ કરી પોતાની જાતનો પોતાના હાથે જ અધ:પાત કરી રહ્યા છે અને કરાવી રહ્યાં છે. કુલમર્યાદા છોડીને જેઓ વિષયાદિની સાધનામાં સ્વચ્છંદી બને છે, તેઓ તરફથી સદ્ધર્મના પાલનની આશા રાખવી એ તો આકાશ કુસુમને મેળવવાની આશા રાખવા બરાબર છે. પિતાદિ વડીલો સમક્ષ જેઓ કામની વિલાસની વાતો કરતાં ન શરમાય તેવા આત્માઓમાં અનાચારો આવતાં વાર જ કેટલી ? ઉત્તમકુળોમાં ઉત્તમ જાતના અંકુશો અવશ્ય હોવા જ જોઈએ. ઉત્તમ જાતના અંકુશો આત્માને અધોગતિગામી બનતાં અવશ્ય અટકાવે છે. ઉત્તમ કુળોની મહત્તા મોક્ષની સાધનામાં છે. પણ વિષયોની સાધનામાં નથી એટલે એવા કુળોમાં ઉત્તમ અંકુશો કેમ ન હોય ? અવશ્ય હોય જ અને હોવા જ જોઈએ.
ઉત્તમ કુળમર્યાદાના અખંડ પાલક શ્રી ભામંડલકુમારે જ્યારે પોતાના પિતાશ્રીને કશો જ ઉત્તર ન આપ્યો એટલે ચંદ્રગતિ નામના નરપતિએ પોતાના પુત્રના મિત્રો પ્રત્યે દૃષ્ટિ કરી એટલે તેઓએ શ્રી ભામંડલકુમારના દુ:ખનું કારણ જણાવતાં કહ્યું કે
‘‘ામના નાર¢ાનીત - ઘટાનિશ્ર્વિતયોધ્ધતિ ૫ XXXXXXXXX મામંડનસ્વાતિ ારનમ્''રો ‘નારદજીએ આણેલી પટમાં આલેખાયેલી જે સ્ત્રી, તેની કામના એ જ શ્રી ભામંડલકુમારની પીડાનું કારણ છે.'
રાજાનો પ્રશ્ન અને નારદજીનો ઉત્તર
પુત્રના મિત્રો દ્વારા પુત્રની પીડાનું કારણ જાણીને તરત જ રાજપુંગવ ચંદ્રગતિએ શ્રી નારદજીને ભક્તિપૂર્વક પોતાના ઘરમાં
કુલીન પરિવારોની
૨૧૫
ખાનદાની ઝળકી ઉઠે છે...૯