________________
સિત.... ભાગ-૨
રિમ-લક્ષમણને
ઉપરથી નથી સમજી શકાતું ? સમજાવવા છતાં પણ મોહમગ્ન આત્માઓને એવું નાટક ભજવવામાં જ આનંદ આવે છે, એ જ આ સંસારની કારમી વિરસતા છે. આવી કારમી વિરસતામાં રસમયતા માનનારાઓને એ વિરસતાનું ભાન નથી જ થતું, અન્યથા શું પિંગલ
એ વાત સમજી શકે તેમ ન હતો કે જે અતિસુંદરી મારી ખાતર : પોતાના માતા-પિતા અને રાજ્યઋદ્ધિને ત્યજી શકી હતી, તે મારા
કરતા અધિક વિષયસુખ આપનારો મળે તો તેની ખાતર મારો પણ
ત્યાગ અવશ્ય અને સહેલાઈથી કરી શકે ! પણ સંસારની ૧૯૨ વિરસતામાં રસમયના માનનારાઓ એ વસ્તુ ન સમજી શકે એ તદ્દન
બનવાજોગ છે. એના જ પરિણામે સાધુપણું પામવા છતાં પણ કુલટા અતિસુંદરી ઉપરના પ્રેમને તો ન જ ત્યજી શક્યો. સાધુપણાના પાલનમાં એનું સ્મરણ ન ભૂલાય એ વિરસતામાં પણ કેવી રસમય માનીતા ? વિરસતામાં પણ રસમયમાનીતા એ પણ સંસારની વિરસતાનું જ પરિણામ છે.
સંસારમાં અજ્ઞાનનો કારમો ઉત્પાત આ ઉપરથી સમજી શકાશે કે અતિભૂતિ અને સરસા પતિપત્ની મટીને ભાઈ-બહેન તરીકે એક જ સાથે આવીને ગર્ભમાં ઉત્પન્ન થયા છે. ખરેખર, આ સંસારમાં ભટકતા આત્માઓ કોઈ અજબ રીતે મોહરાજાની આજ્ઞા મુજબનું અજબ જ નાટક ભજવે છે. એ જ કારણે સંસારભાવનાનું સ્વરૂપ દર્શાવતાં ઉપકારીઓ પણ એમજ ફરમાવે છે કે,
"माता भूत्वा दुहिता, भगिनी भार्या च भवति संसारे। व्रजति सुतः पितृतां, भ्रातृतां पुनः शत्रुतां चैव ॥१॥"
પ્રશમરતિ : ગાથા ૧૫૬ આ સંસારમાં પરિભ્રમણ કરતાં પ્રાણીઓની જે માતા બની હોય છે. તે 2 જ પુન: માતા મટીને ઘેકરી થાય છે, ઘેકરી મટીને ભગિની થાય છે, અને ભગીની મટીને ભાર્યા થાય છે તેવી જ રીતે પુત્ર પિતાપણાને પામે છે, ભાઈપણાને પામે છે અને પુન:શત્રુપણાને પણ એ જ પામે છે.
આવા કારમા સંસારમાં અજ્ઞાન આત્માઓ સિવાય અન્ય કે કોણ રાચે ? એક અજ્ઞાન જ વસ્તુ એવી છે કે જે પોતાને આધીન