________________
દૂધપાન કરતાં પુત્રરત્નો, ક્રમે કરીને પિતાની ઘઢી-મૂછના કેશનું છે ખેંચવાની ક્રીડામાં શિક્ષક સમા એ જ કારણે વિશિષ્ટ પ્રકારના એવા બાલપણાને પામ્યા. શરૂઆતમાં બાળપણ જ્યારે કેવળ દૂધપાનમાં હું જ પર્યાપ્ત થાય છે ત્યારે તે પછીના બાળપણમાં કંઈક વિશિષ્ટતા આવે છે. એ ન્યાયે રામ અને લક્ષ્મણ નામના બાળકોમાં પણ વિશિષ્ટ પ્રકારનું બાળપણ આવ્યું. એ બાળપણના પ્રતાપે તેઓ પિતાની દાઢી-મૂછના વાળોનું આકર્ષણ કરવા લાગ્યા. પોતાના બાળકો જ્યારે દાઢી-મૂછના વાળોને ખેંચે છે ત્યારે મોહમગ્ન પિતાને ઘણો જ આનંદ થાય છે. એ ન્યાયે પોતાના પુત્રરત્નોની એવા પ્રકારની બાળક્રીડાના પ્રતાપે આનંદ પામતા શ્રી દશરથ મહારાજા, ધાત્રીઓ દ્વારા લાલનપાલન કરાતા તે બંને બાળકોને જાણે તે પોતાના બીજા બે ઘેદંડો હોય તેની જેમ અતિશય આનંદથી વારંવાર જોતા, અર્થાત્ શ્રી દશરથ મહારાજા તે પુત્રરત્નોને પોતાના ભુજાદંડ જેવા માનતા અને હર્ષભર્યા હદયે વારંવાર નીહાળતાં. તે પુણ્યશાળી બાળકો પણ સભામાં બીરાજનારા રાજાઓના અંગો ઉપર સ્પર્શ દ્વારા સુધાને જ જાણે ન વર્ષાવતા હોય તેમ આનંદ આપતા છતા તે રાજાઓના ખોળા ઉપરથી સંચરવા લાગ્યા. અર્થાત્ એ પુણ્યશાળી બાળકો સભામાં બિરાજતા રાજાઓના ખોળાઓમાં એકથી બીજામાં અને બીજાથી ત્રીજામાં એમ સંચરતા અને એ બાળકોના સ્પર્શથી રાજાઓને પણ પોતા ઉપર અમૃતની વૃષ્ટિ થતી હોય એમ લાગતું અને એથી એ રાજાઓ પણ આનંદપૂર્વક એ રીતે એ બાળકોને ખેલાવતા. આવી આનંદમય રીતે ક્રમસર વૃદ્ધિને પામતા તે બંનેય બાળકો નીલ અને પીત વસ્ત્રોને ધરતા થઈને પાદપાતથી પૃથ્વીતલને કંપાવતા થકા સઘય વિચરવા લાગ્યા. અર્થાત્ એ બાળકો પૈકીના રામ નીલ વસ્ત્રો ધારણ કરતા અને લક્ષ્મણ પીત વસ્ત્રો ધારણ કરતા અને એ ઉભય જ્યારે ચાલતા ત્યારે તેઓના પાદપાતથી ધરણી ધ્રુજતી.
આનંદ અને
કઈ અવસર તે સંસર...૮