________________
ર
આ વેષમાં પણ જો રાજ્યસુખના ભોગવટામાં ઉપયોગી વસ્તુ મળી છે જાય તો મેળવી લેવાને માટે પણ તેઓ આતુર જ હતા. એ જ કારણે ત્યાગીના વેષમાં ભૂતલ ઉપર ભ્રમણ કરતાં એ બંનેય પરસ્પર ભેગા થઈ ગયાં. અને ભેગા થઈ ગયેલાં તથા એક અવસ્થામાં આવી પડેલા IS તે બંનેય મિત્રો ઉત્તરાપથ તરફ ગયા ત્યાં તેઓએ સાંભળ્યું કે કૌતુકમંગલ નામના નગરમાં શુભમતિ રાજાની પૃથ્વી શ્રી નામની છે રાણીની કુક્ષિથી જન્મ પામેલી દીકરી અને દ્રોણમેઘની ભગિની તથા ચોસઠ કળાની ભંડાર એવી કૈકેયી નામની રાજકન્યાનો સ્વયંવર થાય છે. એ સાંભળીને તેઓ બંનેય હરિવાહન આદિ રાજાઓની મધ્યમાં હંસો જેમ કમળ ઉપર બેસે તેમ મંચો ઉપર બેઠા.
રમણીરત્નની પ્રાપ્તિ પોતાની કન્યા ઈચ્છિત વરને વરી શકે એ કારણે કન્યાનો પ્રેમી પિતા સ્વયંવર મંડપની રચના કરે છે અને અનેક રાજાઓને રાજપુત્રોની સાથે આમંત્રે છે એમાં શરતો એવી હોય છે કે કન્યા જેને વરે તેને જ કન્યા આપવાની પણ અન્યને નહિ. એ શરત મુજબ રચાયેલા મંડપમાં સઘળા આમંત્રિત રાજાઓ આવી ગયા બાદ ક્રમસર ખાસ ગોઠવવામાં આવેલા મંચાઓ ઉપર બિરાજી ગયા. પછી રત્નના અલંકારોથી વિભૂષિત થયેલું શુભમતિ રાજાનું કન્યારત્ન સાક્ષાત્ લક્ષ્મીનું જેમ આગમન થાય તેમ સ્વયંવર મંડપમાં આવ્યું, અર્થાત્ રત્નાલંકારથી અલંકૃત કરાયેલી કૈકેયી સ્વયંવર મંડપમાં આવી. પ્રતિહારિણીના હાથનું અવલંબન કરીને સ્વયંવર મંડપમાં ફરતી અને રાજાઓને જોતી તેણે કમસર ચંદ્રલેખા જેમ નક્ષત્રોને લંઘે તેમ ઘણા રાજાઓને લંધ્યા, અર્થાત્ અનેક રાજાઓને જોતી જોતી અને પસંદ નહિ કરતી એવી તે કન્યા ઘણીજ આગળ વધી. આવા સમયે રાજાઓની અધીરાઈનો પાર નથી હોતો કારણકે કન્યા એક અને અર્થી ઘણાં. સઘળાય ઈચ્છે કે મને વરે તો ઠીક, એટલે જેની પાસે તે ન આવે ત્યાં સુધી ક્યારે આવે ? એવી ઈચ્છા અને આવીને ચાલી જાય એટલે પારાવાર નિરાશા. એ રીતે અનેકને ઇચ્છાના વેગમાં ઝૂલાવતી અનેકને નિરાશાના સાગરમાં ડૂબાડતી તે
પુણ્યોદય
૧ ફી
અભય-કવચ૮ પ્રભાવે...૭