________________
પણ સામાન્ય નહિ કિંતુ કારમો. કારણકે એ ત્યાગ સંસારથી મુક્તિ છે? અપાવનાર નથી પણ આત્માને ઉલટો સંસારમાં વધુને વધુ હતો ભટકાવનાર છે. એ જ કારણે રાજ્ય તજીને કાપેટિકના વેષમાં 8 પરિભ્રમણ કરતાં શ્રી દશરથ અને શ્રી જનક માટે પણ કોઈ એવા પ્રશ્ન કરે કે એ ત્યાગી કે રાગી ? તો કહેવું જ પડે કે દુશ્મનના હાથે અકાળે મરી ન જવાય, રાજ્ય ચાલ્યું ન જાય અને અધિક સમય = સુધી રાજ્ય ભોગવાય એ જ માટે ત્યાગી થયા છે, એ કારણે તેઓ ત્યાગી ન કહેવાય પણ રાગી જ કહેવાય. આ સ્થળે આ પણ એક વસ્તુ સમજી લેવા જેવી છે. અને તે એ જ કે વ્યાજ લેવા માટે બેંકમાં મૂડી મૂકો તે ઘન ન કહેવાય. એવી જ રીતે દુન્યવી સુખ મેળવવા માટે જ કરાતી ધર્મક્રિયા એ વાસ્તવિક રીતે ધર્મક્રિયા નથી. કારણકે ધર્મક્રિયા દુનિયાના સંબંધથી છૂટવા માટે છે. જેની પ્રાપ્તિમાં ઘોર આરંભ અને ઘોર પરિગ્રહનો પ્રચાર બેઠો છે. તેવા રાજ્યની પ્રાપ્તિ માટે જ અહિંસા પાળવી તે વસ્તુતઃ હિંસા જ છે. પ્રતિષ્ઠા સાચવવા જ અને એને લઈને વેપાર વધારવા જ સાચું બોલવું તે વસ્તુતઃ ખોટું છે દુનિયામાં પૂજાવા અને પરલોકમાં પૌદ્ગલિક સંપત્તિ મેળવવા જ સંયમ પાળવું એ વસ્તુત: અસંયમ છે. આ બધી વસ્તુઓ પણ આવા પ્રસંગે સમજવી હોય તો સમજી શકાય.
ધર્મ એ આત્માની મુક્તિ માટે છે. માટે એના દુરુપયોગનું અનુમોદન ન જ થાય. દુનિયાના સ્વાર્થ માટે સેવાતી અહિંસાથી આત્મિક લાભ ન થાય એવું માનનારે પણ એ જોઈને એવું વિચારવું ઘટે કે દુનિયાના સ્વાર્થ માટે સ્વાર્થીઓ આટલું સહે તો આત્માના લાભ માટે આપણે તો અધિક સહેવું જોઈએ અને રાજ્ય માટે આટલું લડવામાં આવે છે તો મુક્તિરાજ્યની પ્રાપ્તિ માટે કર્મ સાથે આપણે ખૂબ જ લડવું જોઈએ. પણ આ પ્રમાણે વિચારનારે દુનિયાના કોઈ પણ પદાર્થ માટે કરાતો ધર્મ એ વાસ્તવિક ધર્મ નથી એ ગુણ ગુણ નથી પણ ગુણાભાસ છે. એ જ કારણે એની પ્રશંસામાં મૂળ વસ્તુનો ઘાત છે. આ વસ્તુ કદી જ ન ભૂલવી જોઈએ. આથી જ તેના ગુણ ન ગવાય પણ મોક્ષમાર્ગે ચાલનારા અને મોક્ષમાર્ગના
પુણ્યદયન
અભય-ક અભય-કવચન પ્રભાવે...૭