________________
જે શ્રી અનરણ્ય મહારાજા ખરેખર શરણના અર્થીઓ માટે શરણરૂપ છે હતા. અને તેના પર અનુરાગ રાખનારાઓને ઋણ રહિત બનાવનારા હતા. તે 8. રાજાને પૃથ્વીદેવી નામની રાણી હતી. તે રાણીની કુક્ષીથી ઉત્પન્ન થયેલા બે પુત્રો છે તે રાજાને હતા. બે પુત્રો પૈકીના મોટા પુત્રનું નામ અનંતરથ હતું અને નાના પુત્રનું નામ દશરથ હતું.”
સત્તા સંપન્ન આત્માના અનુકરણીય ઉમદા ગુણો છું શ્રી અનરણ્ય રાજા કેવા હતા એનું વર્ણન કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ માત્ર બે જ વિશેષણોથી કર્યું છે, પણ એ બે વિશેષણો દ્વારા એક સત્તાસંપન્ન આત્માની દશા કેવી હોવી જોઈએ ? એનું સુંદરમાં સુંદર પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સત્તાસંપન્ન આત્માઓની દશા મોટે ભાગે એવી હોય છે કે પોતાના ઉપર પ્રેમ રાખનારાઓ પ્રત્યે પણ તેનું વર્તન તોછડાઈ ભર્યું હોય છે. અને શરણાગત આત્માઓ પ્રત્યે તો તિરસ્કાર વૃત્તિથી છલકાતું જ હોય છે, પણ એવી જાતના વર્તનમાં નથી દર્શન થતું સત્તાશીલતાનું કે નથી દર્શન થતું સાચી ક્ષાત્રવટનું. રાજાની સત્તાશીલતા એવી હોવી જોઈએ કે નિર્મળ પ્રેમ ધરાવનારાઓનું સ્થાન તેની પાસે શુદ્ધ પ્રેમથી ઉભરાતું હોવું જોઈએ અને સાચા રાજાની ક્ષત્રિયવટ એવી હોવી જોઈએ કે એના પ્રતાપે શરણાગત આત્માઓ એની છાયામાં પ્રસન્ન ચિત્તે રહી શકે.
આવી દશા તે જ રાજામાં હોઈ શકે છે કે જે રાજા, હું રાજા છું એવા મદથી રહિત હોય અને રાજ્ય એ મારું નથી એટલું જ નહિ પણ અસાર, અનિત્ય અને અસ્થિર છે તથા એ સંસારવૃદ્ધિનું કારણ છે, એ કારણે એનો જેમ વહેલો ત્યાગ થાય તેમ સારું અને જ્યાં સુધી ત્યાગ ન થઈ શકે ત્યાં સુધી તેનો ઉપયોગ, પોતાનું અહિત ન થાય તેવા પ્રકારના પ્રજાહિતના કાર્યમાં કરવો તથા રાજ્યસત્તાના બળે અધર્મનું જેટલું ઉભૂલન થઈ શકે તેટલું ઉભૂલન કરીને પ્રજાને સન્માર્ગ ઉપર સ્થિર કરવી. આવી ભાવનાથી રંગાયેલ હોય. આવી ભાવનાથી રંગાયેલા રાજાઓ શ્રી વીતરાગ પરમાત્માના, શ્રી વીતરાગ છે, પરમાત્માના પંથે વિચરી વિશ્વમાં વૈરાગ્ય ભાવનાને રેલાવતા સાધુપુરુષોના અને શ્રી વીતરાગ પરમાત્માએ પ્રરૂપેલા તથા શ્રી
શ્રાવકન ! માય મનોરથ...