________________
શ્રાવકના મનનીય મનોરથો
ખરેખર, પરમ શ્રાવકપણાને પામેલો આત્મા સંસારના કોઈપણ પદાર્થનો અભિલાષી હોતો નથી. એવા આત્મા માટે જો ચારિત્ર મોહનીયનો ઉદય તીવ્ર ન હોય તો સાધુપણાની પ્રાપ્તિ પણ સહજ હોય છે, કારણકે તેવા આત્માઓના મનોરથો જ સદાને માટે સંસારથી પરાભુખ હોય છે અને સાધુપણાની પ્રાપ્તિના હોય છે. એ જ કારણે કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે,
जिनो देवः कृपा धर्मो, गुरवो यत्र साधवः । શ્રાવસ્વાદ વસ્તમૈ, જ્ઞાઘેતાવિમુઢ0?
કોણ એવો સુંદર બુદ્ધિનો આત્મા છે કે જે તેવા પ્રકારના શ્રાવકપણાની સ્લાધા ન કરે કે, જે શ્રાવકપણામાં-જિન એટલે રાગાદિ શત્રુઓના સંપૂર્ણ વિજેતા અર્થાત્ અઢારે ઘેષોથી રહિત અને વિશ્વના કલ્યાણ માટે મોક્ષપ્રાપક ધર્મતીર્થના સ્થાપક શ્રી વીતરાગ પરમાત્મા દેવ મનાય છે, પ્રાણીમાત્ર પ્રત્યે દયા એ ધર્મ મનાય છે અને બાહા તથા અત્યંતર પરિગ્રહના ત્યાગી સાધુઓ જ ગુરુ મનાય છે.
અર્થાત્ શ્રાવકપણું જેને તેને દેવ માનવામાં, જેને તેને ગુરુ માનવામાં કે જે તે વસ્તુને ધર્મ માનવામાં નથી ટકતું પણ તેને પામવા માટે કુદેવ, કુગુરુ અને કુધર્મનો ત્યાગ કરવો પડે છે. અને સુદેવ, સુગુરુ અને સુધર્મની ઉપાસના કરવી પડે છે. કુદેવ, કુગુરુ અને કુધર્મના ત્યાગથી અને સુદેવ, સુગુરુ અને સુધર્મની ઉપાસનાથી શોભતા શ્રાવકપણાની પ્રશંસા હરકોઈ સુંદર બુદ્ધિનો
શ્રાવક છે માય મનોરથg