________________
8-200
સિંહરથ રાજાને જીતીને હાથથી પકડી લીધો. વિજય પામેલા સોદાસ મહારાજાએ બંને રાજ્યોનો ભોગવટો નહિ કરતાં તે બંને રાજ્ય સિંહરથ રાજાને જ સમર્પણ કર્યા અને પોતે તો એ બંને રાજ્યોનો પરિત્યાગ કરીને પ્રવજ્યા અંગીકાર કરી.
આ ઉપરથી સમજી શકાશે કે સોદાસ મહારાજાએ પરમશ્રાવક બન્યા પછી રાજ્યગાદી ઉપર આવીને પોતાના પુત્ર સિંહરથ રાજા પાસે પોતાની આજ્ઞા મનાવવા માટે જે દૂત મોકલ્યો હતો તે ઉભય રાજ્યના માલિક બનવાની જ અભિલાષાથી નહિ પણ કોઈ ઉત્તમ
અભિલાષાથી જ મોકલ્યો હતો અન્યથા આજ્ઞા નહિ માનનારા પુત્ર રાજા ઉપર પરાક્રમપૂર્વક વિજય મેળવ્યા બાદ તરત જ પ્રવજ્યાનો સ્વીકાર કરવા જેવી દશા એકદમ ન આવી હોત.
રામ-લક્ષ્મણને