________________
સીત.... ભાગ-૨
રાખેલી તથા સ્વભાવથી પણ સુંદર એવી પ્રણાલીકાઓનો પ્રલય કરવા માંગે છે. તેઓને યથાર્થ રીતે લાગુ પડે તેવા પરમોપકારી પરમ મહર્ષિઓએ કહેલા અને શાસ્ત્રોમાં ગુંથાયેલા-અજ્ઞાન શ્રદ્ધાભ્રષ્ટ, મોક્ષમાર્ગના ચોર, દુર્લભબોધિ, બહુલસંસારી, ઉન્માર્ગગામી, ઘોર મિથ્યાદૃષ્ટિ અને અદૃષ્ટ કલ્યાણકર આવા શબ્દો સાંભળીને તેવાઓ કેવા અને કેટલા છંછેડાઈ ઉઠે છે એ ક્યાં આપણી જાણ બહાર છે?
વળી એકાંતે ઉપકાર બુદ્ધિથી જ પરોપકાર પરાયણ ૧૨ પરમમહર્ષિઓએ ફરમાવેલી અને એ જ દૃષ્ટિએ વસ્તુસ્વરૂપને સ્પષ્ટ કરવા માટે વર્તમાનમાં પણ કહેવાતી આ બધી વાતો જેવી કે,
૧. જે મનુષ્યો બાલ્યકાળ વિષ્ટા અને મૂત્ર આદિ સાથે ખેલવામાં જ પસાર કરે છે, યૌવનકાળ કામચેષ્ટાઓમાં વેડફી નાંખે છે અને વૃદ્ધાવસ્થા શ્વાસકાસાદિ રોગને આધીન થઈને અથવા તો ભયંકર પ્રકારની માયા મમતામાં પડીને વીતાવે છે તે મનુષ્યો ખરેખર નિર્લજ્જ છે.
.........રામ-લક્ષ્મણને
૨. સંસાર-રસિક પુરુષો કોઈપણ કાળમાં પુરુષ નથી બનતા પણ પ્રથમ અવસ્થામાં ભૂંડ જેવા બને છે. બીજી યૌવન અવસ્થામાં રાક્ષસ જેવા બને છે અને ત્રીજી વૃદ્ધાવસ્થામાં બુઢા બેલ જેવા બને
છે.
૩. જે મનુષ્યો બાલ્યકાળમાં માતૃમુખ બને છે તરુણકાળમાં તરૂણીમુખ બને છે અને વૃદ્ધકાળમાં પુત્રમુખ બને છે, તે મનુષ્યો ખરેખર મૂર્ખ છે.
૪. જે મનુષ્યો સુખી અવસ્થામાં કામચેષ્ટાઓથી અને દુ:ખી અવસ્થામાં દીનતા ભરેલા રૂદનથી પોતાનો જન્મ ગુમાવે છે, તેઓ 17) મોહના પ્રતાપે અંધ બનેલા હોવાથી મોહાંધ મનુષ્યો છે.
_m
૫. અનંતકર્મોના ક્ષય માટે સમર્થ એવા પણ મનુષ્યપણાને પામીને જે મનુષ્યો અર્થ-કામની ઉપાસનામાં પડીને પાપકર્મોની આચરણાઓ કર્યા કરે છે, તે મનુષ્યો પાપાત્માઓ છે.