________________
ઉન્માર્ગનું ઉન્મૂલન કરનારી અને સન્માર્ગનું સ્થાપન કરનારી વાણીનો વિધિ મુજબ વ્યાપાર, ૩-એષણા સમિતિ-નિરંતર બેંતાલીસ દોષોથી રહિત ભિક્ષાનો સ્વીકાર, ૪. આદાન સમિતિ લેવા મૂકવાની કોઈ પણ વસ્તુને પુંજી પ્રમાર્જીને જ લેવી અને પુંજી પ્રમાર્જીને જ મૂકવી અને ૫-પારિષ્ઠાપનિકાસમિતિ-તજવા યોગ્ય કોઈ પણ વસ્તુનો યોગ્ય સ્થાને વિધિપૂર્વક ત્યાગ. આ પાંચે સમિતિઓનું સેવન કરવું અને ત્રણેય ગુપ્તિઓનો નિયોગ એટલે મન, વચન તથા કાયા એ ત્રણેયને અશુભ વ્યાપારોમાંથી અટકાવી શુભ વ્યાપારોમાં યોજવા. આ ધર્મ એ મુખ્ય શ્રમણધર્મ છે. અને એ સંસારત્યાગી મુનિવરો માટે છે.
૨-સ્થૂલ હિંસા, અસત્ય, ચોરી, પરસ્ત્રી અને પરિગ્રહથી નિવૃત્તિ, ૧૧૧ દિશા પરિમાણ-ચાર દિશા, ચાર વિદિશા અને અધોદિશા તથા ઉર્ધ્વદિશામાં જવા આવવાનું નિયમન, ૨-ભોગોપભોગ પરિણામ-એક જ વખત ભોગવી શકાતી અશન આદિ ભોગ્ય વસ્તુઓ અને વારંવાર ભોગવી શકાતી સ્ત્રી આદિ ઉપભોગ્ય વસ્તુઓનું પરિમાણ અને ૩-અનર્થદંડવિરમણ આર્ત-રૌદ્રરૂપ અપધ્યાન, પાપકર્મનો ઉપદેશ હિંસાને મદદ કરનારી વસ્તુઓનું દાન અને કુતુહલાદિનું નિરીક્ષણ તથા કામશાસ્ત્રની પ્રસક્તિ આદિરૂપ જે પ્રમાદાચરણ તેનો ત્યાગ. આ ત્રણે ગુણવ્રતોનું સેવન અને મધુ તથા માંસનું વિવર્જન. આ બીજો ધર્મ, મુખ્ય ધર્મનો સ્વીકાર કરવા માટે અશક્ત એવા ગૃહસ્થોને માટે છે.
માંસભક્ષણના અનર્થો સોદાસ રાજાનો સુંદર હૃદયપલટો
મુનિવરેન્દ્રે રમાવેલા ધર્મને સાંભળીને સોાસના અંતરમાં બહુમાન તો ઘણું જ પેદા થયું પણ પોતાની આસક્તિના પ્રતાપે પોતે જે વસ્તુનો સ્વીકાર કરી શકે તેમન હતો, તેનો સ્પષ્ટ એકરાર કરતાં તેને પ્રાર્થનાના રૂપમાં કહ્યું કે,
મતં નેહામિ વયં, તં ળસિ ઞામુનિ વય-સેળ ૨ एक्कं पुण हिययडुठं, नवरि य मंसं न छड्डेमि ॥
“હે ભગવન્ ! આપ મહામુનિ જે વ્રતને પ્રયત્નપૂર્વક કહો છો તે વ્રતને
હું ગ્રહણ કરુ છું. પણ એક વાત તો મારે આપને કહેવાની જ છે અને તે એ કે મારા હૃદયને ઇષ્ટ એવું એક માંસ, એ તો હું નહિ છોડું”
આ પ્રકારની પ્રાર્થના કરતો પણ સોાસ માંસનો ત્યાગી બને >એ જ ઇરાદાથી તે,
સંત.... ભાગ-૨
..........મ-લક્ષ્મણન