________________
-2:00 0
22
રામ-લક્ષ્મણને
પ્રત્યે કારમું વિશ્વાસઘાતીપણું જ ગણાય. એવા પ્રજાનાશક રાજાઓ રાજ્ય કરવા માટે લાયક ન જ મનાય એ તો દીવા જેવી જ વાત છે. એવા પ્રજાનાશક રાજાને નીતિસંપન્ન મંત્રીઓ સહાય કરવાને બદલે પદભ્રષ્ટ કરે એમાં જ સાચા મંત્રીઓનું મંત્રીપણું છે.
રાજા સોદાસના મંત્રીઓ ઉત્તમકોટિના જ છે, એ તો આપણે જાણીએ જ છીએ, કારણકે, પરાપૂર્વની રાજનીતિ મુજબ શ્રીઅરિહંત પરમાત્માના અષ્ટાદ્ધિક ઉત્સવ પ્રસંગે “અ-મારિની
ઉદ્ઘોષણા કરાવી અને પોતાના રાજાને પણ પૂર્વની રીત સમજાવી. ૧૧છે કેવી રીતે વર્તવું એની સૂચના પણ મંત્રીઓએ જ કરી હતી. અને
સૂચના કરતાં સ્પષ્ટપણે કહ્યું હતું કે “શ્રી અરિહંત પરમાત્માઓના અષ્ટાહ્નિકા ઉત્સવમાં આપના પૂર્વજોએ પણ માંસ ખાધું નથી. તે કારણથી આ ઉત્સવમાં આપ પણ માંસને ખાતા નહિ.'
પોતાના સ્વામીને સમય પર આવી હિતકર સૂચનાને કરનારા કુલીન મંત્રીઓ, રાજાની એવી કારમી પ્રવૃત્તિને જાણ્યા છતાં પણ સહી લે અને ચાલવા દે, એ કોઈપણ રીતે બની શકે જ નહિ. બન્યું પણ એમ જ એટલે જ તે સમયે મંત્રીઓએ વિચાર્યું કે
इति दारुणकर्माणं, नृपं विज्ञाय मन्त्रिणः । धृत्वात्यजन्नरण्यांत - ग्रॅहोत्पन्नमिवोरगम् ।।
“અમારો રાજા શ્રી સોદાસ આવા પ્રકારનું ભયંકર કર્મ કરી રહ્યો છે. એ પ્રમાણે જાણીને મંત્રીઓએ, એકદમ ઘરમાં ઉત્પન્ન થયેલા સર્પને જેમ પકીને અરણ્યમાં મૂકી દે તેમ રાજાને પકડીને અરણ્યની અંદર છોડ ઘધો અર્થાત્ લોકો જેમ સર્પને ભયંકર માનીને ઘરમાં જો તે નીકળે તો તરત જ પકડીને ગામની બહાર મૂકી આવે છે, તેમ મંત્રીઓએ પણ આવું ભયંકર કર્મ
કરનારા રાજાને ઘણો જ ભયંકર માન્યો. અને એકદમ એને ગાદી ઉપરથી $ ઉઠાવ મૂક્યો. તથા પકડીને અરણ્યમાં તજી દીધો.”
પુત્ર ગાદી ઉપર અને પિતા જંગલમાં પણ આ સ્થળે એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે સોદાસ રાજાને પદભ્રષ્ટ કરનારા મંત્રીઓ સ્વાર્થમગ્ન કે પ્રપંચ પરાયણ ન É હતા. કોઈપણ નિમિત્ત કાઢી આ રાજા રાજગાદી માટે યોગ્ય નથીછે એમ કહીને રાજગાદીને પચાવી પાડવાની દુષ્ટ દાનત ધરાવનારા