________________
:
શ્રીરામ-લક્ષ્મણનો જન્મ : મિથિલામાં ભામંડલ-સીતાનો જન્મ : ભામંડલ અપહરણ : નારદજીના નારદવેડા : સ્વયંવર મંડપ : વજ્રાવર્ત-અર્ણવાવર્ત ધનુષ્યો : રામ-સીતા લગ્ન : દશરથ મહારાજાને વૈરાગ્ય : મહાસતી કૈકેયીદેવીની માંગણી : રાજા દશરથનો સ્પષ્ટ નિર્દેશ : ભરતજીનો દૃઢ નિર્ધાર : આ બધા પ્રસંગોમાં ઉત્તમકુળોની મહાનતાનું દર્શન થાય છે તો મોહની મુંઝવણો પ્રગટરુપે અનુભવાય છે.
થરા
શ્રી દશરથ મહારાજાને ભરતે આપેલી વિવેકભરી સલાહ અને પિતાપુત્રનો તથા માતા-પુત્રનો સંવાદ સ્વાર્થ અને પરમાર્થના આંતરયુદ્ધનું શબ્દચિત્ર રજૂ કરે છે.
પ્રાન્તે પિતૃભક્ત શ્રી રામચન્દ્રજીનો અડગ નિર્ધાર: વનવાસગમન, શ્રી લક્ષ્મણજી અને સીતાદેવી પણ વનના માર્ગે : રાજા-રાજ્ય અને પ્રજામાં થયેલો ખળભળાટ : કૈકેયીનું હૃદય પરિવર્તન : શ્રી ભરતજીનો રાજ્યાભિષેક
ઉત્તમ આત્માઓની ઉત્તમતાની આલબેલ પોકારે છે.
દ્વિ.વૈશાખ વદ-૧૧, વિ.સં.૨૦૬૬, સિદ્ધાંતમહોદધિ સ્વ.પરમગુરુવર સ્વર્ગતિથિ.
સદ્ગુરુચરણ સેવાહેવાકી
આચાર્ય વિજય શ્રેયાંસપ્રભસૂરિ