________________
વરેલી છે. એમ કહેવામાં લેશ પણ અતિશયોક્તિ નથી, એ તો સર્વ પ્રકારે વિવાદ વિનાની વાત છે. આવી સર્વોત્તમ મનોદશાની છાયા, જો દુશ્મનનો આત્મા યોગ્ય હોય તો એની ઉપર પણ સુંદર છાપ પાડ્યા વિના રહેતી નથી. સ્વ-પરનું હિત કરવાની મન:કામના ધરનારાઓએ સ્વ-પરના શ્રેય માટે પોતાના દુશ્મનો ઉપર તો આવી મનોદશા જ કેળવવાની આવશ્યકતા છે. આવી મનોદશાના યોગે, જો સમય, સંયોગો અને સહવાસમાં આવનારા આત્માઓ યોગ્ય હોય તો અવશ્ય એવો આત્મા, સ્વ-પરનું શ્રેય ઘણી જ સહેલાઈથી સાધી શકે.
શ્રી સુકોશલ રાજર્ષિની જેમ પૂર્વાવસ્થાના પિતા અને મુનિ અવસ્થાના ગુરુ એવા શ્રી કીર્તિધર રાજર્ષિએ પણ ધર્મધ્યાનમાંથી શુકલધ્યાન પામીને કેવળજ્ઞાન ઉપાર્જ્યું. અને ક્રમે કરીને અદ્વૈત સુખના સ્થાનરૂપ સિદ્ધિપદને સાધ્યું.
ત્યારબાદ
વં સહહેવી, વોસનપ્રકાર્ડ સ્વાયમાનીઃ । जायं जाईसरणं, पुत्तयदन्ताई ફૂળ ૨૫
સા પચ્છાયાàળ, તિન્તિ = વિસા, અળસળ ૐ । વવજ્ઞા હિવ્વનો, વથી મરિન સોહમ્ને
આ પ્રમાણે શ્રી સુકોશલ રાજર્ષિના અંગોને ખાતી સહદેવી કે જે વાઘણ બનેલી છે, તેને પુત્રના દાંતો જોઈને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું છે. એ જ્ઞાનના ઉત્તમયોગે ઉત્તમપુત્ર પ્રત્યે આચરેલી પોતાની અધમતાનો તેને પશ્ચાત્તાપ થયો. એ પશ્ચાત્તાપના પ્રતાપે તેણે ત્રણ દિવસ સુધીનું અનશન કર્યું. એ અનશનના પરિણામે તે વાઘણ મરીને સૌધર્મ નામના પહેલા દેવલોકમાં ઉત્પન્ન થઈ.
શ્રી સુકોશલ રાજર્ષિ મહામુનિનો પ્રસંગ અનેક વાતો ઉપર સુંદરમાં સુંદર પ્રકાશ નાંખે છે. અને એ પ્રકાશ દ્વારા કલ્યાણના અર્થી આત્માઓ સમક્ષ એ બોધ આપે છે કે
૧. સંસારના સ્નેહીઓનાં સ્નેહમાં ફ્સાવું, એ આત્મસ્વરૂપ વિસરીને પરની સાધના કરવા જેવું છે. અને પરિણામે.
यो ध्रुवाणि परित्यज्य, अध्रुवं परिषेवते ધ્રુવાનિ તસ્ય નશ્યન્તિ, મધ્રુવં નષ્ટમેવ =
જે આત્મા ધ્રુવ વસ્તુનો પરિત્યાગ કરીને અધ્રુવની સેવા કરે છે, તેની
ܐ
વિવેકહીમાં સાચી છુ
હિષીતા હોય છે...૩