SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ શકે છે, એ વસ્તુ આ દૃષ્ટાંત આપણને ઘણી જ સારી રીતે સમજાવી શકે છે. ધર્મશૂર બનવા કર્મચૂર બનવું જ જોઈએ ? સભા સાહેબ ! ‘ને ને શૂરા, તે ઘને શુરા' આ કથન અહીં લાગુ પડે છે કે નહિ? બરાબર લાગુ પડે છે. પણ આથી જેઓ એમ કહે છે કે ધર્મશૂર બનવા માટે પ્રથમ કર્મચૂર બનવું જ જોઈએ.' એવો નિયમ નથી. અને કર્મચૂર હોય તે બધા જ ધર્મશૂર બને જ, એ પણ નિશ્ચિત નથી. હા,એટલું સત્ય છે કે જેઓ ‘dhત્રે શૂરા, હોય, તેઓને કોઈ સાચા જ્ઞાની હૈં પુરુષોનો યોગ મળી જાય અને તે યોગનો જોઈતો લાભ જો તેઓ લઈ શકે, તો જરૂર ‘ઘર્ગે રા' પણ બની શકે છે ! પણ ધર્મશૂર બનવા માટે ? કર્મચૂર બનવું જ જોઈએ.” આવો કાયદો જો નિયત કરવામાં આવે, તો તો &િ મોટો અનર્થ જ ઊભો થાય કારણકે કર્મશૂર બનતાં-બનતાં જ આયુષ્યની પૂર્ણાહુતિ થઈ જાય તો પરિણામ શું ? પરિણામ એ જ કે આ સંસારમાં ર. રખડવું અને દુર્ગતિનાં દુ:ખોનો અનુભવ કરવો ! માટે ગાંડાઓએ ઘડી કાઢેલા, પોતાની વિષય કષાયની રસિકતાને પુષ્ટ કરવા માટે ઉપજાવી કાઢેલા, તેવા કાયદાને માની લેવાની મૂર્ખતા ન થઈ જાય, તેની ખૂબ કાળજી રાખવાની છે. આપણે આ તો જોઈ ગયા કે મહારાજા શ્રી અશનિવેગે દીક્ષા અંગીકાર કરી આત્મકલ્યાણની સાધના કરી. હવે આ બાજુએ ‘પાતાલલંકા' નામની નગરીમાં આવી વસેલા લંકાપતિ ‘શ્રી મુકેશ નામના રાજાને પણ ‘ઇંદ્રાણી' નામની રાણીથી ત્રણ પુત્રો થયા. એક માલી, બીજો સુમાલી અને ત્રીજો માલ્યવાન અને વાનરદ્વીપના અધિપતિ રાજા શ્રી કિષ્ક્રિધિ' ને પણ શ્રીમાલા' નામની પત્નીથી ‘આદિત્યરજાપ અને રૂક્ષરજા' નામના બે પરાક્રમી પુત્રો થયા. હવે એક વખત સુમેરૂ પર્વત ધર્મશૂર બનવા કર્મચૂર બનવું જ જોઈએ ?...૩ . 2.૦ રાક્ષશવંશ અને વાનરવંશ
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy