SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્ગુરુઓની નિશ્રામાં રહીને શુદ્ધ શ્રદ્ધાપૂર્વક અભ્યાસ કરવો પડશે. અને પતિવ્રતા સ્ત્રીઓ પતિ તરફ કેવી વૃત્તિ રાખનારી હોય છે અને પતિના વિયોગ સમયે સતી સ્ત્રીઓ પોતાના જીવનને કેવી રીતે પસાર કરે છે ? એ જાણવા માટે તો આ સમયે શ્રીમતી અંજનાસુંદરીનો આ પ્રસંગ ઘણો જ અનુપમ છે. શીલરસિક રમણીઓ માટે પતિના વિયોગમાં તદ્દન સ્વચ્છન્દી આચારો સેવવા, એ ખરેખર જ શીલનું ખરે બપોરે બજારના મધ્ય ભાગમાં લીલામ કરવા બરાબર છે. આ રીતે ઉદ્ભયપણે શીલનું લીલામ કરવું. એ કુલીન સ્ત્રીઓ માટે કોઈપણ રીતે ઉચિત નથી. પોતાની કુળવટ સાચવવા માટે સ્ત્રીઓએ સ્વચ્છંદચારિતા ત્યજી દઈને, મર્યાદાશીલતા સ્વીકારવાની જરૂર છે. અશુભોદયની આંટીઘૂંટી શ્રીમતી અંજનાસુંદરી પતિના વિયોગમાં પોતાના શીલની સુરક્ષા માટે આવી દશાના જીવનને જીવી રહી છે, તે છતાંય તેના અશુભોદયની આંટીઘૂંટી એવી ભંયકર છે કે તે ભલભલા બુદ્ધિશાળિની બુદ્ધિમાં પણ ભેદ પેદા કર્યા વિના રહે જ નહિ અને એના જ યોગે પોતાની મનોરમ પ્રિયતમાને આવી દુ:ખદ અને મહાસતીપણાને છાતી એવી પણ અવસ્થામાં જોવા છતાં, પવનંજયના અંત:કરણમાં ભિન્ન જ પ્રકારના વિચારો આવવા લાગ્યા અને તેના વિચારોમાંથી તે મહાસતી પ્રત્યે તિરસ્કાર જ નીતરવા લાગ્યો તથા તેના પરિણામે તેના અંત:કરણમાં કેવળ નિરાશાએ જ સ્થાન લીધું. આ વસ્તુનું વર્ણન કરતા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા લખે છે કે "तां निध्यायनिढं ढध्यौ सद्यः प्रह्लाढनंदनः । अहो ! निहीत्वमेतस्याः निर्मीत्वमपि दुधियः ।।१।। "अथवा ज्ञातमेतस्यां, दौर्मनस्यं पुरोपि हि । ટૂઢા તુ મયા વિમો-રાઠુનયના ૨” જૂર કર્મની મશ્કરી પવનંજય અને અંજતા...૭ ૨૪૯ રાક્ષશવંશ અને વાનરવંશ તે
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy