SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ પરમશાંતિ શાથી મળે? કલ પ્રકરણ ૫૫ મું પરમશાંતિ શાથી મળે ?. રાજન ! પરમ શાંતિની પ્રાપ્તિના બે માર્ગ છે. એક જ્ઞાન માર્ગ અને બીજે ક્રિયામાર્ગ. જ્ઞાનમાર્ગ એ નજીક માર્ગ છે; પણ તે એટલે બધે વિકટ માગે છે કે તે કોઈ વિરલ છવજ જઈ શકે છે. જ્ઞાનમાર્ગમાં જુઓ કે જ્ઞાનની મુખ્યતા છે, છતાં આંતર ક્રિયા ત્યાં પણ રહેલી છે. તેમજ ક્રિયામાર્ગમાં ક્રિયાની મુખ્યતા હોય છે છતાં જ્ઞાન ગૌણ પણે ત્યાં પણ રહેલું છે. જ્ઞાન અને ક્રિયા એકલાં કોઈ પણ વખત રહી શકતાં નથી. કોઈ વખતે જ્ઞાનીની મુખ્યતા તે ક્રિયાની ગણતા.અને ક્રિયાની મુખ્યતા જ્ઞાનની ગણતા પણ એ જેવું કાયમ સાથે જ રહે છે. છતાં જ્ઞાનમાર્ગ અને ક્રિયા માગે એ કહેવાને આશય જ્ઞાનની મુખ્યતા તે જ્ઞાન માર્ગ અને જેમાં ક્રિયાની મુખ્યતા તે ક્રિયામાર્ગ એજ છે. જ્ઞાન માર્ગ अलीपो निश्चयेनात्मा लित्पश्च व्याहारत : . शुध्यत्यलित्पया झानी क्रियावान् लित्पय दशा. आशा નિશ્ચય નય વડે આત્મા લેપાયેલ નથી. વ્યવહારનયથી આત્મા લેપાયેલો છે. હું લેપાયેલે નથી આવી નિર્લેપ દષ્ટિ વડે જ્ઞાની શુદ્ધ થાય છે અને હું બંધાયેલ છું આવી દષ્ટિ વડે ક્રિયા કરવાવાળે શુદ્ધ થાય છે.”
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy