SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રગતિ ઉપર અત્યંત પ્રેમ બતાવ્ય, ચિત્રગતિની ઈચ્છા નહિ હોવા છતાં પણ દિવ્યાલંકાર તથા વસ્ત્રાદિથી તેનું બહુમાન કર્યું. ચિત્રગતિએ કહ્યું કે હે સુમિત્ર ! હું મારા નગર તરફ જાઉં છું. તે વારે સુમિત્રે કહ્યું કે હે મિત્ર! સુયશા નામના કેવલી ભગવંત વિહાર કરતાં કરતાં આવી રહ્યા છે. માટે આપ તેમના દર્શન કરીને જ પછી પ્રયાણ કરશો તો મને ખૂબ જ આનંદ થશે - થોડાક દિવસો પછી કેવલી ભગવંત ઉદ્યાનમાં પધાર્યા. દેવતાઓએ સુધી જલથી તે ભૂમિને પવિત્ર બનાવી. સુવર્ણકમલની રચના કરી. કેવલીભગવંત સુવર્ણકમલ ઉપર આસનારૂઢ ક્યા. સુમિત્ર શાચિત્રગતિ ત્યાં આવી કલ્પતરૂ સમાન મુનિના દર્શન કરી આગળ બેઠા. દેવતાઓના કે લાડલી કેવલી ભગવંતનું આગમન જાણી શ્રી સુગ્રીવ રાજા પણ આવ્યા અને અભિગમ સાચવી ઘનશ્રવણ કરવા માટે બેઠા. મુનિવરે દેશના આપી. સાધર્મ અને શ્રાવક ધર્મ જગતમાં તમામ કલ્યાણને આપવાવાળા છે. તેજ બને ધર્મો મુક્તિરૂપી મહાનગરીની પ્રાપ્તિ કરાવનાર છે. ક૯પવૃક્ષ, કામધેનુ વિગેરે તે જિનધર્મની ચરણરજ પણ નથી બની શકતા. ધર્મશ્રવણ કરીને ચિત્રગતિએ કહ્યું કે સેહદારિદ્રથી બાધિત બનીને આજ સુધી હું ગૃહસ્થ ઘર્મને નહી જાણતે દુર્ભાગ્યાિર છું. હે સુમિત્ર!
SR No.022744
Book TitleAmam Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1964
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy