SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ગમાં ભીમરાજાની સભામાં તે દૂતે તે કુબડાની વાત કહી સંભળાવી. તે સાંભળી વિદુષી દવદનતીએ પિતાને કહ્યું કે પિતાજી! કેઈ બુદ્ધિમાન આપ્તજનને મેકલી તે રસોયાની પરીક્ષા કરાવો, કારણકે આપના જમાઈ સિવાય બીજા કેઈને આ પૃથ્વી ઉપર સૂર્યપાક આવડતું નથી. તેઓએ દેવતાની સહાયતાથી અથવા મંત્રબળથી પિતાના રૂપને (કુબડાના રૂપમાં) પરિવર્તન કર્યું છે. ભીમરાજાએ કુશલ નામના બ્રાહ્મણને સુસુમારપુર મેકલા, શુભ શુકને જોઈ બ્રાહ્મણે પ્રયાણ કર્યું. સુસુમારપુરમાં આવી દધિપણું રાજાને મલી તે બ્રાહ્મણ જ્યારે કુજને જુએ છે ત્યારે દુઃખી બનીને વિચાર કરે છે કે દવદન્તીને નલરાજાને ખોટો વિચાર આવે છે. જ્યાં સૂર્ય ? અને કયાં અગીયે? ક્યાં ચંદ્ર? ક્યાં તારો ? કયાં કલ્પવૃક્ષ અને કયાં લીમડાનું ઝાડ? ક્યાં સુમેરૂ? અને ક્યાં સરસવ? ક્યાં દેવેન્દ્રસમાન નલરાજા? અને કયાં ભૂત જે આ કુબડે ? કયાં કપૂર અને ક્યાં ચૂનો? ફરીથી બ્રાહ્મણે વિચાર કર્યો કે જે કદાચ નલરાજા હશે તે ધૂત્કારવાથી કરીને જાતવાન હાથીની માફક કોલ કરીને અવાજ કરશે, તે પ્રમાણે વિચારીને (નવા બે શ્લેકમાં બ્રાહ્મણે કહ્યું કે, નિર્દીમાં, નિર્લજજોમાં, નિસમાં, દુરાતમાઓમાં નલરાજા આ પૃથ્વી ઉપર સર્વ મનુષ્યમાં શિરામણી છે. જેણે પિતાની પ્રાણપ્રિયા સતીને ત્યાગ કર્યો. રે રે
SR No.022744
Book TitleAmam Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1964
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy