SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ - ' ૫૪ આપીશ, હંમેશાં દરેક કાર્યો ઉચિત સમયે જ શેભે છે, માટે હમણાં તું દેવદૂષ્યવાળું આ શ્રીફળ તથા દિવ્યાલંકારોથી યુક્ત આ રત્નપેટી તું ગ્રહણ કર, પ્રયત્નપૂર્વક તું તેને તારી પાસે રાખજે, આ વસ્ત્રાલંકારને તું ધારણ કરીશ ત્યારે તું તારા મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરીશ, નલ રાજાએ દવદન્તીને તમામ વૃત્તાંત પૂછયો, ત્યારે દેવે દવદન્તીના તમામ પ્રકારના દુઃખની તથા શિયળના માહાસ્યની વાત કહી બતાવી, દેવે નલરાજાને કહ્યું કે તને પગે ચાલવામાં ઘણું કષ્ટ થશે, માટે તારે જે સ્થાનમાં જવું હોય તે સ્થાનમાં તને મૂકી જાઉ. નલરાજાએ સુસુમારપુરનું નામ દીધું અને દેવે નલરાજાને ત્યાં પહોંચાડયો, અને પોતે સ્થાને ગયે, નલરાજાએ નગરની બહારના ઉદ્યાનમાં ચૈત્ય , ચૈત્યમાં પ્રભુ નેમિનાથ સ્વામિના અદ્ભૂત બિંબને જોઈ આનંદપૂર્વક સ્તુતિ કરી, ત્યાંથી નીકળી નગરમાં પ્રવેશ કરે છે ત્યાં જ નગરના દ્વાર ઉપર ભયંકર કોલાહલ સાંભળવામાં આવ્યું, રાજાને હાથી ગાંડો થયે હતું, તે અનેક પ્રકારના ઉપદ્રવ કરતે હતો, તે હાથીને વશ કર્યો, તે વારે તમામ મંત્રીઓ આદિ આશ્ચર્યમાં ગરકાવ બની ગયા, તે લેકે કુજને દધિપણું રાજાની પાસે લઈ ગયા, રાજાએ પૂછ્યું કે હે કુજ ! આ સિવાય તું બીજું કાંઈ જાણે છે. ત્યારે તેણે કહ્યું કે હું સૂર્ય પાક રસોઈ બનાવી શકું છું. રાજાએ તમામ પ્રકારની સામગ્રી આપી, અને “નલ
SR No.022744
Book TitleAmam Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1964
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy