SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ બાબતમાં તમને કહું છું કે પૃથ્વી વીર ભગ્યા છે. તે વાત સાચી કે બેટી? જે મારી વાત સાચી છે તે મેં વજ જંઘનું કાંઈ જ પડાવી લીધું નથી, વળી તમે જઈને કહેજે કે તેની સામે જ તેનું સર્વસ્વ હરણ કરીશ, કેમકે સર્વ વીરમાં હું અગ્રણી છું. આ પરિસ્થિતિમાં આપ પ્રાભૂતની યાચના કેમ કરે છે? વિશેષમાં આપના સ્વામિ પ્રાભૃત લઈને મારી પાસે આવશે માટે આપને આ પ્રયાસ નિષ્ફળ છે. તારા સવામિએ મદ મસ્ત બનીને ગોવાળોને મારી ગૌમંડળ લઈ લીધું છે. હું તે એકલે તેને મારી તેની સંપૂર્ણ પૃથ્વી લઈ લઈશ, તે તું જેતે રહીશ, તેણે પિતાના બળથી ત્રણખંડ ભારતનું સ્વામિત્વ પ્રાપ્ત કર્યું છે તે મારું પણ એ જ કાર્ય છે. એટલા માટે તે મેં આ કાર્ય કર્યું છે. હમે જે સ્વરૂપમાં વાત કરીએ છીએ તે સ્વરૂપમાં સમજે તે ઠીક છે. નહીંતર યુદ્ધ કરવા માટે તૈયાર થઈને આવે, યુદ્ધને જોવાની હું ઉત્કૃષ્ટ ઈચ્છા રાખું છું. ધર્મ કુમારનું બળ તે પ્રખ્યાત છે. તેમની સહાયતાથી મારે વિજય પણ થવાને છે. તે પછી મારે ડરવાની શું જરૂર છે? તાર્યા વજની વાણીને સાંભળી વિસ્મય, ભય, લજજાને ધારણ કરતે, મંત્રી સભામાંથી નીકળી જશે, અનન્દ પત્તનમાં આવી રાજા વાજઘની પાસે સુન્દરગાહની ઉદ્ધતાઈનું વર્ણન કરશે. સાંભળીને મયુક્ત ગજેન્દ્રની જેમ ક્રોધિત બની વાજંઘ સેનાઓને સુસજજ કરીને પૃથ્વી કંપાવતે ત્યાંથી પ્રસ્થાન કરશે.
SR No.022744
Book TitleAmam Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1964
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy