SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ આપની ઉપર ફરીથી અપુકાર કર્યાં છે કે જેથી આપ આટલા બધા ઉદાસ બન્યા છે, અને ચિન્તાતુર તથા દુ:ખિત દેખાએ છે! પિતાએ અનેલી તમામ હકીકત લીલાવતીને કહી સંભળાવી, લીલાવતીએ ખુશીથી મારા લગ્ન લલિતાંગ સાથે કરા કહ્યું કે આપ ગભરાતા નહી, હું ખુખ જ સાવધાન છું, આપ સાવધાન મની નિર્ભયતાથી ઉચિત સમયે તેની પાસે જાઓ, અને તે ખુબ જ આગ્રહ કરે, યાચના કરે ત્યારે જ આપ સ્વિકાર કરજો, ચંદન લલિતાંગ શ્રેષ્ઠિને ત્યાં ગયા, અને લલિતાંગના અતિ આગ્રહથી તેને પેાતાની પુત્રીના વિવાહની હા, કીધી. શુભ દિવસે લલિતાંગ તથા લીલાવતીના લગ્ન થયા, લગ્ન આદ લીલાવતી પિતાના ઘેર આવી, અને દરરોજ પિતાની પાસે પતિના ઘરના સમાચાર મંગાવવા લાગી, એક દીવસ પિતાએ કહ્યું કે હે વત્સે ! તારા પતિ વ્યાપારની ઇચ્છાથી કાશી જવાના વિચાર કરે છે. અને તૈયારીઓ કરે છે. કોઈ પણ કારણથી ઘરના પાછળના ભાગમાં ઉપરથી સાંકડા વચ્ચેથી પહાળા, અંદરથી સ‘પૂર્ણ અંધકારમય એક માટા કુવા ખાદ્યાય છે. પુત્રીએ કહ્યું કે મારા પતિ ક્રોધિત અનેલા છે. તે, મને કુવામાં ફેકી પેાતે કાશી જશે, માટે તેને પ્રતિકાર કરવા પડશે. હું પિતાજી! આપના ઘરથી કુવા સુધી એક સુંદર ભેાંયરૂં (સુરગ) આપ સત્વર બનાવડાવા કે જેથી આફતના સમયે હું સહીસલામત રહી શકું.
SR No.022743
Book TitleAmam Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1963
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy