SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૩ ન હોવા છતાં પણ મસ્ત્રિઓના દબાણથી, રાજાએ તેને પરવાનગી આપી, તેને રસ દરરોજ તેના માટે વંશગિરિ પર્વત માળામાંથી એક “મેર લાવી તેનું માંસ રાંધીને આપતા હતા. એક દિવસ તેના માટે લાવવામાં આવેલા મેરને બિલાડી ખાઈ ગઈ ત્યારે રસેઈઓએ મરેલા બાળકનું માંસ રાંધીને તેને આપ્યું. આજે માંસ આટલું બધું સ્વાદિષ્ટ કેમ લાગે છે? દાસના પૂછવાથી રયાએ સાચી વાત કહી બતાવી, તે વારે દાસે પ્રસન્ન થઈને કહ્યું કે આજથી મારા માટે “મરના, બદલે મનુષ્યનું જ માંસ બનાવજે, રઈઆએ તે પ્રમાણે નહીં કરવાથી સાદાસ પિોતે જ બાળકનું હરણ કરવા લાગ્યા, જ્યારે રાજાને સદાસની કાર્યવાહીની ખબર પડી ત્યારે તેને દેશનિકાલ કર્યો, ત્યારથી સોદાસ રાક્ષસ સ્વરૂપે દુર્ગમાં આવીને રહે છે. દરરોજ પાંચ છ મનુષ્યોને મારીને ખાવા લાગે, તેના દુર્ભાગ્યથી જ આજે સેદાસ મરાયો છે, ત્યારબાદ તે લેકેની વિનંતિથી તે કન્યાઓની સાથે વસુદેવે લગ્ન કર્યા. રાત્રીભર ત્યાં રહીને પ્રાતઃકાળે અચલ ગ્રામમાં ગયા. ત્યાં તેઓએ જ્ઞાનીના આદેશથી સાર્થવાહની કન્યા મિત્રશ્રીની સાથે લગ્ન કર્યા, ત્યાંથી વેદસામક નામના નગરમાં ગયા, ત્યાં તેને ઈન્દ્રજાલિક ઈન્દ્રશર્માની પત્નિ વનમાલા મલી, આ દિયર આ પ્રમાણે કહીને પોતાના ઘેર લઈ ગઈ. આ વસુદેવ છે. એ પ્રમાણે પિતાના પિતાને કહી, કુશલાદિ સમાચાર પૂછીને તેના પિતાએ કહ્યું
SR No.022743
Book TitleAmam Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1963
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy