SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૭ તાંબરે સિવાય તમામ પ્રજા એકત્રીત થઈ હતી, બધા જ આવ્યા પણ વેતાંબર નહિ આવવાથી ક્રોધિત થયેલા નમુચિએ સુવતાચાર્યની પાસે જઈને કહ્યું કે અરે! લેકવ્યવહારથી અજ્ઞાત ! તપવનની રક્ષા પણ રાજા જ કરે છે. તપસ્વીઓની પણ રક્ષા રાજા કરે છે. માટે તપસ્વીઓએ પણ રાજાના અભિષેક સમયે આવી મંગલ આશિર્વચન અવશ્ય આપવા જોઈએ. અને દરરોજ તપસ્યાને છઠ્ઠો ભાગ પણ આપ જોઈએ. પરંતુ તમે લોકો તે પ્રમાણે નહીં કરતાં નિશ્ચિત રીતે મારો વિરોધ કર્યો છે. માટે વિરોધી બનીને મારા રાજ્યમાં તમે નહી રહી શકે, જલ્દીથી તમે મારા રાજ્યની હદ છોડીને ચાલ્યા જાવ, જે તમે નહી ચાલ્યા જાવ તે તમેને સર્વને હું મારી નંખાવીશ, આચાર્ય મહારાજે કહ્યું કે અમારો આચાર નહી હોવાથી અમે અભિષેકમાં આવી શક્યા નથી. તેમાં વિરોધનું કોઈ કારણ નથી. અમે લેકે સ્વભાવથી જ કેઈના વિરોધી નથી, તેમાં પણ સજનની રક્ષા કરવાવાળા રાજાની સાથે તો વિરોધ હોઈ શકે જ નહિ, ફરીથી નમુચિએ કોધથી કહ્યું કે હે આચાર્ય ! મિથ્યા વચનોના આડમ્બરથી કાંઈ જ વળવાનું નથી. આઠ દિવસમાં મારા રાજ્યની હદ છોડીને ચાલ્યા જાવ, નહિ જાઓ તે ચોરની જેમ ગુનેગાર માનીને તમને શિક્ષા કરવામાં આવશે. આ પ્રમાણે કહીને નમુચિ પિતાના સ્થાને ગયો, આચાર્ય મહારાજે પોતાના સાધુઓને કહ્યું કે
SR No.022743
Book TitleAmam Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1963
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy