SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪. ચકાદિ ચૌદ મહારત્નથી સેવાતા શ્રી મહાપદ્મ ચક્રવર્તિએ. અનુક્રમે છ ખંડ ભરતક્ષેત્રને વિજયેત્સવ કર્યો, પ્રથમ જોવામાં આવેલ સ્ત્રીરત્ન મદનાવલીને સ્મરણ કરતે ચકવતિ ફરીથી એ જ તાપસ આશ્રમમાં આવ્યા, તાપસેએ તેને. આદર સત્કાર કર્યો, ફરતાં ફરતાં ત્યાં આવેલા જનમેજય રાજવીએ પિતાની કન્યા મદનાવલી મહાપદ્મ ચક્રવતિને આપી, આ પ્રમાણે ચકવતિની સંપૂર્ણ લક્ષ્મીથી યુક્ત મહાપદ્મ હસ્તિનાપુરમાં આવ્યા, પ્રસન્ન ચિત્ત માતાપિતાને નમસ્કાર કરી, આનંદ પ્રાપ્ત કર્યો. પિતાના ચરિત્રરૂપ અમૃતના સિંચનથી તેમના કર્ણને તૃપ્ત કર્યા. આ વખતે નમુચિને જીતવાવાળા મુનિસુવ્રત સ્વામિના. શિષ્ય શ્રી સુવ્રતાચાર્ય શ્રેષ્ઠ સાધુઓ વડે પરિવરેલાં ત્યાં આવ્યા, સર્વસમૃદ્ધિથી સપરિવાર શ્રીમદ્ પક્વોત્તર રાજાએ નજીક આવી આનંદપૂર્વક વંદન કર્યું. આચાર્ય ભગવતે રાજાને સંસ્કારરૂપ મહાભયાનક અટવીમાં પરિભ્રમણ કરવાથી લાગેલા થાકને દૂર કરનારી દેશના આપી, તેઓની દેશનાથી વૈરાગ્યને પ્રાપ્ત થયેલા રાજાએ ગુરૂમહારાજને પ્રાર્થના કરી કે જ્યાં સુધી હું પુત્રને રાજ્યકારભાર સુપ્રત કરીને ન આવું ત્યાં સુધી આપ અન્યત્ર વિહાર ન કરતા. આચાર્ય મહારાજે કહ્યું કે રાજન ! પ્રમાદ છેડીને ઉદ્યમ કરે જરૂરી છે. રાજા આચાર્ય મહારાજને વંદન કરી હર્ષોલ્લાસ પૂર્વક પિતાના મહેલમાં આવ્યું, રાજાએ આપ્તજનોને બેલાવી
SR No.022743
Book TitleAmam Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1963
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy