SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ સ પ સમુદ્રની ગંભીરતાથી પણ અધિક ગભીરતાને ધારણ કરવાવાળા સમુદ્રવિજય રાજવી પ્રાતઃકાલના કાય થી પરવારીને વસ્ત્રાભૂષણાથી અલંકૃત બનીને ઈન્દ્રનીસમાન પેાતાની રાજસભામાં બેઠા હતા, તે સમયે વસુદેવ નમસ્કાર કરવા માટે રાજસભામાં આવ્યા, રાજાએ પ્રેમથી પેાતાની પાસે લઇને કહ્યુ` કે વત્સ ! પૂર્ણ ચંદ્રમાની સમાન સુંદર કાન્તિવાળા તમે આમ તેમ શા માટે ફીને તમારા શરીરને અને કાંતિને નિસ્તેજ બનાવા છે, માટે તમા મારી પાસે રહેા. દીવસના સૂર્યના પ્રચંડ તાપમાં કયાંય જશે નહી. કરેલા વિદ્યાભ્યાસનું ચિંતન તથા નવીન કલાનુ અધ્યયન કરવું જોઈએ, કલાવિંદાની સાથે વાદવિવાદ કરવામાં તમેાને ખ઼ જ આનંદ આવશે. ચન્દ્રિકા અને અમૃતની જેમ મારી આંખાને તારા મૂખ ચન્દ્રમાંથી પરમપ્રીતિ પ્રાપ્ત થશે. વિનયિ અને સરલ એવા વસુદેવે પ્રકૃતિથી અથવા અંગમરાડ દ્વારા પણ કોઈપણ પ્રકારનો અવિનય કર્યાં સિવાય રાજાની વાણીનો સ્વિકાર કર્યો.ભાઈના મહેલમાં રહેતા વસુદેવ અનેક પ્રકારના કુતુહલદ્વારા આનંદ કરવા લાગ્યા, કલાઓનો અભ્યાસ કરતા ઘણા દિવસે વ્યતિત થયા. એક વિસ કુઞ્જિકા નામની માલને કુમારે પૂછ્યુ કે આ સુગધિત પુષ્પા તથા દ્રવ્યો કેાના માટે લાવી છે?
SR No.022743
Book TitleAmam Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1963
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy