SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ મધનાં ટીપાં કપાળ ઉપર પડવા લાગ્યા, ધીમે ધીમે તે ટપાને પ્રવાહ મુખ સુધી પહોંચ્યો અને મુખમાં મધનાં ટીપાંને સ્વાદ આવવા લાગે, મધના આસ્વાદમાં તે માણસને સર્વોત્તમ સુખ લાગ્યું. હે સભ્યધૂર્ય ! આ દષ્ટાન્તને ભાવાર્થ એ છે કે કુવે તે મનુષ્ય જન્મ છે. અજગર નરક છે. મનુષ્ય એ સાંસારિક જીવ છે. અટવી તે સંસાર છે. હાથી તે ભયંકર મૃત્યુ છે. સર્પો તે કોધાદિ છે. વડવાઈઓ તે આયુષ્ય છે. તેને કાપવાવાળા કાળે અને ધોળે ઉંદર તે કૃષ્ણપક્ષ અને શુકલપક્ષ છે. અને માખીઓ તે અનેક પ્રકારના રેગે છે. મધનું ટીપું તે વિષયજન્ય સુખ છે. એ ક્યો વિવેકી આભા આવા ભયાનક સંસારમાં હર્ષ માને ? આવા સંસારમાં કઈ કૃપાળુ દેવ અથવા વિદ્યાધર તેને બચાવી શકે. આટલું કહેવા છતાં પણ અશક મા નહિ. ત્યારે અશોકની માગણને સ્વિકાર કરી, સુચના બે લાખ સોનામહોરે લઈ પિતાને ઘેર આવી. બાદ રાત્રિના વખતે અશક સુચનાના ઘેર આવ્ય, કામાંકુરની જેમજ અશોક પણ ખાડામાં પડશે, જે અશક ખાડામાં પડ્યો, તે. તરત જ મૂચ્છિત બની ગયે. - જ્યારે શુદ્ધિમાં આવ્યું. ત્યારે તેને અવાજ જાણીને કામાંકુરે કહ્યું કે ભદ્ર! તારી પણ આજ દશા બની? એક બીજાએ પિત પિતાની વાત કરી. અશોકના કુટુંબીઓ અશકને શોધવા નીકળ્યા. પણ કયાંય અશાકને
SR No.022743
Book TitleAmam Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1963
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy