SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી ચરિત્ર પ્રિય પત્ની કમલાવતી દેવીની કુક્ષિએ બહુ માનતાઓવડે પુત્રપણે ઉત્પન્ન થઈશ. બાદ પૂર્વભવને વૈરી એવો એક દેવ તારી માતા સહિત તારૂં ત્યાંથી હરણ કરશે; અને તે ચિત્રવેગ ! વિદ્યાધરેંદ્રને ત્યાં તું માટે થઈશ. વળી મારી પાસે આવતે એ તું જેને દીવ્યમણું અર્પણ કરીશ, તે જ તારે તે જન્મમાં સત્ય પિતા થશે. તેમજ સુપ્રતિષ્ઠ સૂરિની પાસે ગૃહસ્થ પામીને પછી ચારિત્ર પાળીને તું સંસારને ઉચ્છેદ કરીશ. અહ! ચારિત્રનો મહિમા દેવતાઓને પણ દુર્લભ છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે – દીક્ષાના પ્રભાવથી અપવિત્ર હોય તે પવિત્ર થાય છે. પ્રથમ દાસપણાને પામેલ હોય છે, તે પણ તે પુરૂષ દુનિયામાં પૂજ્યતાને ધારણ કરે છે; તેમજ મૂખમાણસ સ્વલ્પસમયમાં ઉત્તમ પ્રકારની સાન સંપત્તિઓને પ્રાપ્ત કરે છે. આ સર્વે ચારિત્રના ગુણે અપૂર્વ લાભને આપનારા કહ્યા છે. એ પ્રમાણે શ્રી કેવલીભગવાનનું વચન સાંભળી; - હે ભગવન્! આપનું વચન સત્ય છે એમ કહી બહુ માનપૂર્વક તેમના વચનનું સ્મરણ કરતે હું તે. મુનીને ત્રણ પ્રદક્ષિણા દઈ ફરીથી વંદન કર્યા. જે અપવિત્ર હોય તે નિવાસ સ્થાને
SR No.022742
Book TitleSursundari Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy