SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ સુરસુંદરી ચરિત્ર સર્વ વિદ્યાધરોએ પિતાપિતાની કન્યાઓ તેને આપી. બાદ મકરકેતુએ તેમને કહ્યું, જ્યાં સુધી નરવાહન રાજાની તે કન્યા (સુરસુંદરી)ને હું પર નથી, ત્યાં સુધી અન્ય કન્યાઓને પરણીશ નહીં. ' ' પછી ભાનુવેગે કહ્યું. હાલમાં હું કુશાગ્રનગરમાં જાઉ છું અને નરવાહન રાજાની પાસે માંગણી કરીને તારા માટે સુરસુંદરીને લાવું છું. મકરકેતુએ કહ્યું. ' એ બાબતમાં તમે હવે વિલંબ કરશે નહીં. અમે પણ પિતાની આજ્ઞા લઈ હસ્તિનાપુરમાં જઈએ છીએ. હજુ સુધી માતાપિતાનાં કેઈપણ સમયે મને દર્શન થયાં નથી. માટે તેમના ચરણકમલને અમે વંદન કરીએ, એવી અમારી ઇચ્છા છે. એ પ્રમાણે કુમારનું વચન સાંભળી તે ભાનુગ એકદમ આકાશમાગે ગમન કરવા લાગ્યો. રાજનિદેશ મકરકેતુરાજાને પિતાએ આજ્ઞા કરી કે, - હે પુત્ર! આજે વિકાલ સમયે ઉત્તમ પ્રકારનું મુહૂર્ત છે, માટે તે ઉત્તમ સમયમાં માતાપિતાનાં દર્શન " એ પ્રમાણે પિતાના કહેવાથી સમગ્ર વિદ્યારે તે જ વખતે પ્રયાણની સામગ્રી તૈયાર કરવા લાગ્યા.
SR No.022742
Book TitleSursundari Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy