SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી ચરિત્ર પછી શ્રીજિને'દ્રભગવાનની પૂજા કર્યાં બાદ જિનવંદન કરી રહ્યો એટલે સૂર્યોદય થયા. ૨૬૪ પછી હું શરીર ચિંતા માટે મહાર નીકળ્યા. શૌચક્રિયા કરી દીદ્ઘિકાદિકની ક્રીડા માટે હૂડ કેટલાક પ્રદેશ આગળ ચાલ્યા, તેટલામાં ત્યાં વાંસડાઓની ઝાડીમાં પૃથ્વી ઉપર પડેલુ એક મનેાહર ખડ્ગ મારા જોવામાં આવ્યુ. તરત જ તેને હાથમાં લઈ ચપલતાને લીધે તે ખગના પાસમાં રહેલી તે વંશજાળની ઉપર મે પ્રહાર કર્યાં. તેની અંદર ગ`ગાવત્ત નગરના સ્વામી ગંધવાહન રાજાના પુત્ર મરકેતુ વિદ્યાધર વિદ્યા સાધવા માટે પ્રથમ પ્રવેશ કરી રહેલા હતા. તેનુ* મસ્તક વાંસડાઓની સાથે કપાઈને ભૂતલ ઉપર પડેલુ' એકદમ મારા જોવામાં આવ્યું. જેની અંદરથી રૂધિરના પ્રવાહ ચાલ્યા જતા હતા. તે જોઈ હું એકદમ સભ્રાંત થઇ ગયા. મારા હૃદયના આઘાતને લીધે મારી દૃષ્ટિ મહુ ચ'ચળ થઈ ગઈ અને હુ શાક કરવા લાગ્યા. હાહા! બહુ આશ્ચર્યની વાત છે કે; આવું અકા મેં કર્યુ. અરે! પ્રમાદના વશમાં પડી મેં આ હિસા કરી, માટે જરૂર મારા મ`ભાગ્યને લીધે ક ંઇક વિઘ્ન મને થયા વિના રહેશે નહીં.
SR No.022742
Book TitleSursundari Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy