SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી ચરિત્ર ૨૩૧ એ પ્રમાણે તેનું વચન સાંભળી વજથી હણાયેલીની માફક હું અત્યંત દુઃખી થઈ ગઈ અને વિચાર કરવા લાગી કે, મારા પાપના વિસ્તારને ધિકકાર છે. મારા માટે મારા પિતા પણ મોટા શત્રુની દુરંત આપત્તિમાં આવી પડયા છે. તેમજ મારે રાગ અન્ય પુરૂષ ઉપર હતા, છતાં પણ આ પાપિષ્ઠ મને હરણ કરીને અહીં લાવ્યો છે. મારા જીવિતને વારંવાર વિકાર છે. પિતાને બહુ દુઃખ થયું તેમજ મારા પ્રિય પતિને લાભ પણ મને થયે નહીં. જે શત્રુંજય રાજાની સાથે મને પરણાવી હતી તે પિતાને પણ આટલું દુઃખ આવત નહીં. અથવા તે મારા મને ભીષ્ટ સ્વામીના લાભવડે હું સુખી થઈશ. પરંતુ હાલમાં આ મારા પાપની પરિણતિને લીધે એક પણ કાર્ય સિદ્ધ થયું નહિ. એમ હું ચિંતવન કરતી હતી, તેટલામાં તેણે મને કહ્યું, હે સુંદરી ! તું હાલમાં અહીં રહેજે. મેં પ્રથમ પ્રજ્ઞપ્તિવિદ્યાની પૂર્વસેવાને પ્રારંભ કર્યો છે, તેના એક હજાર જાપ કરવાના છે, તેથી હું આ નજીકમાં રહેલી વાંસની ઝાડીમાં જઈ તે જાપ પૂર્ણ કરી જલદી અહીં પાછે આવું છું. ત્યાં સુધી તારે અહીંથી કયાંય પણ જવું નહીં.
SR No.022742
Book TitleSursundari Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy