SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી ચરિત્ર માતાની પાસે ગઈ અને આ સર્વ વૃત્તાંત તેણીની આગળ તેણે નિવેદન કર્યું. ચિત્રપટમાં લખેલા તે કામદેવ સમાન યુવાનને તેણીએ બતાવ્યું. તેને જોઈ મારી માતા પણ બહુ ખુશી. થઈ અને તરત જ તે રાજાની પાસે ગઈ પશ્ચાત્ આ સર્વ સમાચાર તેણી એ કહ્યા એટલે તે ચિત્રપટને જોઈ મારા પિતા બહુ પ્રસન્ન થયા અને તે બેલ્યા; | મારી પુત્રીને પ્રેમ બહુ સારા સ્થાનમાં બંધાણે છે અથવા ઉત્તમ પ્રકારની રાજહંસી રાજહંસને છેડીને અન્યત્ર આનંદ માનતી નથી. આપણે પણ સિદ્ધવિદ્યાવાળા મકરકેતુ કુમારને જ આપણું આ કન્યા પરણાવીશું, તેમજ ભાનુગ વિદ્યાધર હમેશાં આપણી પાસે આવે છે, તે એની મારફતે કેશીષ કરીને મકરકેતુ રાજાની સાથે જ તેને પરણાવીશું, એમાં કોઈ પ્રકારની આપણને અગવડ આવે તેમ નથી. આ એ પ્રમાણે મારા પિતાનું વચન સાંભળી મારી માતાનું હૃદય બહુ આનંદથી ભરાઈ ગયું અને તેણીએ કહ્યું. હે શ્રીમતી! તું અહીથી જલદી મારી પુત્રીની પાસે જ અને તેને આ સર્વ હકીક્ત નિવેદન કર.. આ પ્રમાણે કનકમાલાનું વચન સાંભળી શ્રીમતી તેની પાસે જઈ કહેવા લાગી, A હે સુરસુંદરી.. પોતાના હૃદયમાં હવે તું ઉદ્વેગ કરીશ નહીં હવે તારે સર્વ મનોરથ સિદ્ધ થશે. શ્રીમતીનું ભાગ-૨/૧૪
SR No.022742
Book TitleSursundari Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy