SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ સુરસુંદરી ચરિત્ર ગતવૃત્તાંત. ત્યાર પછી સ્નાનાદિક ક્રિયા કરીને નિવૃત્ત થઈ શુદ્ધિમાં આવેલી કમલાવતી દેવીને રાજાએ પૂછ્યું. હે દેવી! તે હાથી તને કયાં લઈ ગયા હતા ? અને ત્યાં તારી શી વ્યવસ્થા થઈ હતી ? તેમજ આ અટવીની અંદર આ ભયક'ર કૂવામાં તું શાથી પડી ? આ પ્રમાણે રાજાના પ્રશ્ન સાંભળી કમલાવતી આલી. હું મહારાજ! મારી હકીકત હું કહુ છું તે આપ સાંભળેા. આપ જ્યારે વડની શાખાને પકડી હાથી ઉપરથી ઉતરી ગયા, તે સમયે મે* પણ તે શાખાને પકડવા માટે બહુ પ્રયાસ કર્યાં હતા, પરંતુ તે મારાથી ખની શકયુ નહી અને એકદમ તે હાથી મને એકલીને લઈ ત્યાંથી ચાલતા થયા. પછી આગળ ચાલતા ચાલતા તે હાથી એક ૫તની નદીમાં જઈ પહેાંરયેા. તે નદીના કીનારા બહુ ભય'કર હતા. તે તટાની અહુ વિષમતા જોઈ અત્યંત વેગના ભંગથી ભય પામ્યા હાય ને શુ ? તેમ તે હાથી ત્યાંથી આકાશ માર્ગે એકદમ ઉપડી ગયા. ત્યાર બાદ ભયભીત થઇ મેં વિચાર કર્યાં;
SR No.022742
Book TitleSursundari Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy