________________
૧૩૭
સુરસુંદરી ચરિત્ર હે નરેદ્ર! તે સંબંધી દેવીનું કંઈપણ વૃત્તાંત અમે જાણતા નથી.
એ પ્રમાણે સમરપ્રિય સુભટ રાજાની આગળ વાત કરતે હતો તેટલામાં ત્યાં દ્વારપાલ આવીને વિનયપૂર્વક કહેવા લાગ્યો. હે નાથ ! સુમતિ નામે નૈમિત્તિક આપના દર્શન માટે દ્વારમાં ઉભે છે. સુમતિ નૈમિતિક
તે સંભળી રાજા બોલ્યો.
હે સુભટ ! જેના આદેશથી તે સમયે નરવાહન રાજાએ મને દેવી આપી હતી, તે આ સુમતિ નૈમિત્તિક -શું અહીં આવ્યો છે?
પિતાની પાસમાં રહેલા પુરૂષોએ જવાબમાં જણાવ્યું. હે નરેંદ્ર ! હા તે પોતે જ આવેલો છે.
રાજાએ હુકમ કર્યો, જલદી એને અહીં લાવો. કારણ, દેવીનું વૃત્તાંત એને આપણે પુછી જોઈએ.
એમ રાજાનું વચન સાંભળી તરત જ દ્વારપાળે તેને ' હાજર કર્યો.
રાજાએ તેને સત્કાર કર્યો, બાદ સુમતિ વિનયપૂર્વક રાજાને પ્રણામ કરી યોગ્ય આસને બેસી ગયો.
રાજા છે
હે નિમિત્તવેદી ! કમલાવતી દેવી જીવે છે કે નહીં તે તું અમને કહે.