SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ *૨૯૦ ' સુરસુંદરી ચરિત્ર ; વળી તેજ કારણને લીધે સ્વર્ગસુખ પણ તેઓ મેળવી શકતા નથી. અને સમસ્ત સુખના આવાસભૂત એવું મેક્ષ સુખ પણ તેઓને બહુ દુર્લભ થાય છે. વળી આ પ્રમાદની પટુતા સર્વ શુભકાર્યોના વિનાશમાં જ રહેલી છે. તે માટે હે ભવ્યાત્માઓ ! આ પ્રમાદ શત્રુને કઈ પણ સમયે તમે આશ્રય આપશે નહી. વળી હે ભવ્યજનો ! હાથમાં રહેલા જળની માફક આ આયુષ્ય દરેક ક્ષણે ક્ષીણ થાય છે. માટે શ્રી જિનેન્દ્ર ભગવાને કહેલા ધર્મનું આરાધન કરો. કઈ પણ સમયે તમે પ્રમાદ કરશે નહીં. | દર્ભ અને સેયના અગ્રભાગમાં રહેલા જલબિંદુની માફક પ્રાણુઓનું જીવિતવ્ય ચંચળ હોવાથી ભાવપૂર્વક સારભૂત એવા શુદ્ધ ધર્મમાં ઉઘુક્ત થવું કારણ કે, તે કર્મગતિ બહુ જ વિષમ કહેલી છે. કર્મની ગતિ બહુ ગહન છે, માટે તે કર્મને નિમૂલ કરવામાં આળસ રાખવી નહીં. હે ભવ્યાત્માઓ ! આ સંસારમાં સર્વ દુખે પ્રમાદથી ઉત્પન્ન થાય છે. માટે ચારે ગતિને વિષે દરેક પ્રાણીઓએ અવશ્ય પ્રમાદને ત્યાગ કરવો જોઈએ.
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy