SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૮૪ સુરસુંદરી ચરિત્ર ' ફરીથી શુદ્ધિમાં આવી અને વિલાપ કરવા લાગી. હે નાથ ! વિલાપ કરતી આ દીન વનિતાને આપ કેમ દષ્ટિગોચર કરતા નથી? મને પ્રત્યુત્તર તમે કેમ આપતા નથી? હે સ્વામિન્ ! શું ! તમે મારાથી રીસાયા છે ? શું? મેં તમારે કંઈ અપરાધ કર્યો છે? હે સ્વામિન્ ! સંભોગના આ સમયે હું જ્યારે કલહ કરતી હતી, ત્યારે આપ મને હજારો પ્રિય વચન બિલીને મનાવતા હતા. એમ છતાં હાલમાં વિલાપ કરતી અનાથ એવી આ પ્રિયાને તમે અકસ્માત કેમ ત્યજી - દીધી છે ? | કઈ પણ મારો અવિનય થયે હેય તે પણ આપને આ અબળા ઉપર ક્રોધ કર લાયક નથી; અથવા ક્રોધ કરવો એ ઉત્તમ પુરૂષેનું લક્ષણ નથી. કારણ કે, ક્રોધને માટે શત્રુ કહ્યો છે. - ક્રોધ રૂપી વિરીનું એટલું બધું બળ છે કે, જેના સ્મરણમાત્રથી બુદ્ધિમાન પુરૂષો પણ તેને આધીન થઈ અતિશય કલેશના પાત્ર થઈ પડે છે. ; તેને મહિમા એટલો પ્રબળ છે કે, જેના પ્રભાવથી . ક્ષમાધારી પુરૂષ તે કેવા ક્રોધીનું મુખ પણ જોતા નથી. એટલું જ નહીં પરંતુ તેવા ક્રોધી પુરૂષની નિંદાના અંકુરાઓ દરેક ઠેકાણે પ્રસરી જાય છે અને તે ક્રોધી
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy