SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી ચરિત્ર ૨૬૫ સુમંગલનું વૃત્તાંત - હે ભદ્રિકજને ! આ અતિ દુષ્ટજનનું વૃત્તાંત તમે સાંભળે. એની ખરી હકીકત જાણ્યા વિના તમે અસત્ય ક૯૫નાઓ શા માટે કરો છો ? અને તેમ નકામા કાલક્ષેપ કરવાથી શું ફલ છે ? બહુ પાપકારી એ આ સુમંગલ નામે વિદ્યાધર છે. એણે બહુ ઉત્તમ પ્રકારની વિદ્યાઓ સિદ્ધ કરી હતી, તેમજ દરેક વિદ્યાધરોના નગરમાં એની બહુ જ પ્રસિદ્ધિ છે. હવે એક દિવસ યૌવનમદના આવેશથી આ વિદ્યાધર નભેગામિની વિદ્યા વડે પિતાનાં અભીષ્ટ નગરમાં ફરતે ફરતે અહીંયાં આ નગરમાં આવ્યો, કેવળ યૌવનથી જ આ વિદ્યાધર ઉન્મત્ત ન હતું, પરંતુ વિદ્યાબળ તથા સ્વામીત્વ વિગેરેના પ્રભાવથી પણ બહુ ગર્વિષ્ઠ થયેલો હત, તે પછી એના અવિનયનું શું કહેવું ? કહ્યું છે કે, અહે ! યૌવનરૂપી ચત્વરમાં ભ્રમણ કરતો પુરૂષ કયા અનર્થને સ્વાધીન નથી થતો ? ધનસંપત્તિને ગર્વ પણ તે જ અનર્થકારક કહેલ છે. પિતાના પરાક્રમ વડે જેમને સ્વામીત્વને અધિકાર મ હોય છે તે, અને વિવેકરહિતપણું પણ કેવલ અનર્થદાયક જ કહેલું છે.
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy