SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૫૨ - સુરસુંદરી ચરિત્ર વળી આપને આટલી અધિક ચિંતા કરવાનું શું કારણ આવી પડયું છે? આપની આકૃતિ ઉપરથી આ બાબત સાબીત થાય છે; દરેક મનુષ્યની આકૃતિ ઉપરથી જ ગુણાદિકનો પ્રકાશ થઈ આવે છે. તેમજ નમ્રતા ઉપરથી કુલની વિશુદ્ધતા સ્પષ્ટ થાય છે. વાણીના વિસ્તાર ઉપરથી અનુક્રમે શાસ્ત્ર જ્ઞાન કેટલું છે ? તેની પરીક્ષા બુદ્ધિમાન પુરૂષો કરી શકે છે. તમારો સંયમ-ધાર્મિક નિયમ વયની અપેક્ષાએ બહુ અધિક છે. હું આપની મુખાકૃતિ ઉપરથી સમજુ છું કે; આપ કંઈપણ વિપત્તિમાં આવી પડયા છે. આ પ્રમાણે પિતાની સ્ત્રીનું વચન સાંભળી અશનિવેગ બેચે; હે મૃગાક્ષિ! મારી કન્યા કામદેવની રાજધાની સમાન નવીન યૌવન દશાને પ્રાપ્ત થયેલી છે. છતાં હે સુંદરી ! કેઈપણ વરને તે ઈચ્છતી નથી. તો પછી આથી મોટું બીજું કયું દુઃખ છે? માત્ર મારી ચિંતાનું મુખ્ય કારણ તે તે જ છે. યૌવન વયને પ્રાપ્ત થયેલી કન્યા જે પરણાવવામાં ન આવે અને વર વિના રહે તે કંઈક વિપરીત કરી બેસે એ સંભવ રહે છે; સુખી માણસ પારકાના દુઃખને જાણતા નથી,
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy