SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૪૫ ૧૬૯ ભાવાર્થ : શ્લોક-૪૩માં કહ્યું કે શુદ્ધયોગવાળા યોગીઓમાં યથાશક્તિ ઉપચાર છે. વળી, બીજી દૃષ્ટિવાળામાં અન્ય શું છે ? તેનો સમુચ્ચય તથા' થી કરે છે. શ્લોક : भयं नातीव भवजं, कृत्यहानिर्न चोचिते । तथाऽनाभोगतोऽप्युच्चैर्न चाप्यनुचितक्रिया ।।४५।। અન્વયાર્થ :ભવનું ભયંકભવના પરિભ્રમણથી થયેલો ભય ગતીવ ર=અતિ નથી ચ=અને તે ઉચિતમાં દનિ: ન=કૃત્યની હાનિ નથી તથા=અને અનામો તોડપ અનાભોગથી પણ ૩થ્વી=અત્યંત અનુચિક્રિયા ન વાપ-અનુચિત ક્રિયા નથી. II૪પા. શ્લોકાર્ય : ભવના પરિભ્રમણથી થયેલો ભય અતિ નથી, અને ઉચિતમાં કૃત્યની હાનિ નથી, અને અનાભોગથી પણ અત્યંત અનુચિત ક્રિયા નથી. II૪પા ટીકા - 'भयं नातीव भवज' तथाऽशुभाऽप्रवृत्ते:, 'कृत्यहानिर्न चोचिते' सर्वस्मिन्नेव धर्मादरात्, 'तथानाभोगतोऽप्युच्चै'रत्यर्थं, 'न चाप्यनुचितक्रिया' सर्वत्रैव ।।४५।। ટીકાર્ય : ભવં નાતીત ..... સર્વત્રવ | ભવથી પેદા થયેલો ભય અતિ નથી; કેમ કે તે પ્રકારનીeઘણી વિડંબનાનું કારણ બને તે પ્રકારની, અશુભ પ્રવૃત્તિ નથી. સર્વ જ ઉચિતમાં કૃત્યહાનિ નથી; કેમ કે ધર્મનો આદર છે; અને અનાભોગથી પણ સર્વત્ર જ=ધર્મ, અર્થ અને કામમાં અત્યંત અનુચિત ક્રિયા નથી . II૪પા ભાવાર્થ : વિચારકને જણાય કે સંસાર જન્મ, જરા, વ્યાધિ આદિ અનેક ભયોથી વ્યાપ્ત છે, અને મારો આત્મા શાશ્વત છે, અને મારાં વર્તમાનનાં કૃત્યો પ્રમાણે ભાવિનું સર્જન છે; અને પોતાનું જીવન અનુચિત પ્રવૃત્તિઓથી વ્યાપ્ત દેખાતું હોય તો તેને ભવનો અત્યંત ભય ઉત્પન્ન થાય છે. આ બીજી દૃષ્ટિવાળા જીવો તે પ્રકારની અશુભ પ્રવૃત્તિઓ કરતા નથી અને વિચારક પણ છે. તેઓ જાણે છે કે આ ભવ અનેક ભયોથી વ્યાપ્ત છે, તોપણ મને યોગમાર્ગ ગમે છે અને હું તે પ્રકારની અશુભ પ્રવૃત્તિ કરતો નથી. માટે ક્રમસર યોગમાર્ગની પ્રાપ્તિ કરીને
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy