SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાળ ચરિત્ર તેટલામાં નિશ્ચલ ધ્યાનમાં આરૂઢ થઈ વીરાંગ પણ વિધિ પૂર્વક મણિનું અર્ચન કરી નિવૃત્ત થયે હતું. જેની કાંતિ ચારે તરફ પ્રસરતી હતી. દીવ્યસમૃદ્ધિ પદ્યરાગ મણિના અધિષ્ઠાયક દેવનું સમરણ કરી સુમિત્રે નાન, જન વિગેરે અદ્ભુત વસ્તુની પ્રાર્થના કરી. તરતજ તે દેવની પ્રેરણાથી દીવ્ય અલંકારો વડે વિભૂષિત દેવાંગનાઓ એકદમ આકાશમાંથી ઉતરી. તે બંનેને પ્રણામ કરીને તે વનની અંદર તેમને માટે સોનાના રત થી વિરાજમાન અને રત્નથી બાંધેલા ભૂતલવડે દેદીપ્યમાન એક મંદિર દેવમાયા વડે બનાવ્યું. તેની અંદર સોનાનાં આસન, રત્નનાં ભેજનું પાત્ર અને આભૂષણે સજજ કરવાની વેદિકા માણિકયમય હતી. જેઓ પ્રેક્ષકના ચિત્તને ખરેખર હરણ કરે છે. સ્વર્ગના વિમાનને અપમાન કરનારી તે પ્રાસાદની લમી જોઈ હું માનું છું કે તે દેવીઓ પણ પોતે હંમેશાં ત્યાં રહેવા માટે ઈચ્છતી હતી. પછી દેવીઓ તે પ્રાસાદની અંદર બંને કુમારને લઈ ગઈ નિર્નિમેષ દૃષ્ટિએ સ્વર્ગશ્રીને જોતા જેણે દેવ હેય ને શું? તેમ ક્ષણ માત્ર તેઓ થઈ ગયા. પછી દેવીઓ પિતે તે બંનેને તેલ અને પિષ્ટિકા વડે મર્દન કરી નાનપીઠ પર લઈ ગઈ અને દેવની માફક સુવર્ણમય ઘડાઓના જળથી બંનેને સ્નાન કરાવ્યું. પછી ગંગાના તરંગ સમાન નિર્મલ દીવ્ય વ પહેરાવ્યાં, ચંદનાદિકને લેપ કરી ઉત્તમ આભૂષણે પહેરાવ્યાં.. એ પ્રમાણે સ્નાન, ચંદન અને અલંકારેથી ભવ્ય શરીરવાળા બંને કુમારે આ લેકમાં પણ મણિના પ્રભાવથી દેવ સમાન થયા.
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy