SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાળ મૂછ ૩૩૧ પરલેક સંબંધી સર્વ ક્રિયા પિતાની મેળે જ તારે કરવી, કારણ કે પુત્રના અભાવને લીધે તારી પાછળ તે ક્રિયા કઈ પણ કરવાને નથી. સ્વર્ગવાસ એ પ્રમાણે સુભાષિતની માફક ગુરુની વાણને સ્વીકાર કરી શ્રીકુમારપાલરાજા આમન્નતિ માટે બહુ ભક્તિ કરવા લાગ્યા. અન્ય રાજકુમારી ઈચ્છા પ્રમાણે નૃત્ય કરવા લાગ્યા. શ્રાવકે રાસ ગાવા લાગ્યા. ભટ્ટ લેંકે બિરૂદાવલી બેલવા લાગ્યા. ગાયક લેકે ગાયન કરવા લાગ્યા. પાર્શ્વભાગમાં રહેલા નરેદ્રાદિક ધર્મવ્યયમાં લક્ષથી અધિક નવકાર મહામંત્રનું સ્મરણ કરવા લાગ્યા અને હજારે પુણ્ય કરવા લાગ્યા, અતિ નજીકમાં મરણ જાણી ધ્યાન કરવાની ઈચ્છાથી સૂરીશ્વરે સર્વત્ર પ્રસરતા કોલાહલને નિષેધ કરાવ્યો. અતિ ઉન્નત નિવૃત્તિ રૂપ લગામ વડે ઉત્કટ અશ્વ સમાન ઈદ્રિ. એને રોધ કરી, યાનરૂપી પાશવડે વાનર સમાન ચંચલ ચિત્તને બાંધી, બહુ સમય સુધી અપૂર્વ પરમાત્મ સંબંધી તેજનું ચિંતવન કરતા શ્રી હેમચંદ્રસૂરિએ બ્રહ્મરંધ્ર દ્વારા પ્રાણ ત્યાગ કર્યો. કુમારપાળ મૂછ કાલધર્મ પામેલા ગુરુમહારાજને જોઈ તેજ વખતે શ્રી કુમારપાલ રાજા પોતાના જીવ વડે ગુરુના જીવની પાછળ ગયે હેય તેમ અચેતન થઈ ગયે. ક્ષણમાત્ર પછી સચેતન થઈ સર્વ જગતને શુન્યની માફક જેતે અને ઈષ્ટજનોને શેકાતુર કરતે, તે ભૂપતિ ગદ્ગદ્દ કંઠે બોલ્યો. હે પ્રભે! આજ સુધી મારી ઉપર આ અપૂર્વ ધર્મ સ્નેહ ધારણ કરી હાલમાં આપે શા માટે નિર્મમ ધારણ કર્યું ? કારણ કે મને અહીં મૂકીને આપ ચાલ્યા ગયા? આપને પિતાના શરીર પર પણ સનેહ ન હતું, છતાં મેં આપને
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy