SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ કુમારપાળ ચરિત્ર માટે હે ભગવાન! આ રાજ્યની કંઈક વ્યવસ્થા કરી હું સમતારૂપ અમૃતસાગરમાં હંસની માફક આચરણ કરવાને ઈચ્છું છું. આ રાજ્ય અજયપાલ નામે મારા ભત્રીજાને આપું? કે પછી પ્રતાપમલ્લિ નામે મારા ભાણેજને આપું? આપની શી આજ્ઞા છે ? વિચાર કરી સૂરિએ કહ્યું. અજયપાલ બહુ દુષ્ટ છે, માટે તે દાસી પુત્રની માફક રાજ્યને લાયક નથી. વળી ઐશ્વર્યને પ્રાપ્ત થયેલે આ અજયપાલ વરીની માફક ધર્મરથાનની શ્રેણી સમાન વનસ્થલીને મદોન્મત્ત હતી જેમ ભાગી નાખશે. અને આ પ્રતા૫મલ્લ તે તે દુષ્ટ બુદ્ધિવાળો નથી. માટે પિતાને રાજવૈભવ તું એને આપ, જેથી પરિણામે તે હિતાવહ થાય. ગુણવાન પુરુષને વિષે જે લમી સ્થાપન કરાય છે, પરંતુ સંબંધિને અપાતી નથી. કારણ કે; પિતાને પુત્ર શનિ વિદ્યમાન છતાં પણ સૂર્ય પિતાને પ્રકાશદીપમાં સ્થાપન કરે છે. હે ગુરુમહરાજ ! સમય ઉપર આપનું હું વચન સિદ્ધ કરીશ. એમ કહી શ્રીકુમારપાળ રાજા પિતાના સ્થાનમાં ગયે. બાલચંશિષ્ય શ્રી મહાવીર વામપર ગોશાલક જેમ શ્રી હેમચંદ્રસૂરિ પર દુષ્ટ આશયવાળ બાલચંદ્રનામે તેમને શિષ્ય હતા. નજીકમાં ગુપ્ત રહેલા તેણે રાજા અને સૂરીશ્વરને ગુપ્ત વિચાર સાંભળી લીધે. તે જ વખતે તેણુ અજયપાલ નામે પિતાના બાળમિત્રને તે સર્વ વૃત્તાંત નિવેદન કર્યું, “ખરેખર ખેલ પુરુષને અનિષ્ટ કર્તવ્ય ઉચિત હોય છે.” તે વૃત્તાંત સાંભળી અજયપાલનું મુખકમલ વિકશ્વર થઈ ગયું અને તે છે . | હે મુનિ ! આગુપ્ત વિચાર તે જા, તે બહુ સારૂ થયું. આ વિચાર રૂ૫ રેલીને તેં જ સફલ કરી. કારણ કે, રાજાના મનમાં રહેલા વિચાર મારી આગળ તે પ્રગટ કર્યો.
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy