SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકધર્મપ્રાપ્તિ ૨૮૫ નપુશ્ય અને શૌડીય આદિ ગુણેને એક સ્થાનભૂત શ્રીમાન કુમારપાલ નામે રાજા થશે. આ રાજા દાન ધર્મ અને યુદ્ધની એક ખ્યાતિવડે કર્ણ, યુધિષ્ઠિર અને અર્જુનને અનુસરશે. તેમજ ગંગા, વિધ્યાચલ, સમુદ્ર અને તુર્ક, સ્તાન સુધી ચારે દિશાઓમાં અનુક્રમે પૃથ્વીને જીતશે. ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરુષાર્થને સાધક હેવાથી તે રાજા પ્રાણું અને ધનથી પણ ધર્મને અધિક માનશે. શ્રાવકધર્મપ્રાપ્તિ એક દિવસ શ્રી કુમારપાલરાજા વજ શાખા અને ચંદ્રકુલમાં પ્રગટ થયેલા શ્રી હેમચંદ્રસૂરિને જોઈ બહુ પ્રસન્ન થશે. પછી તેમને નમસ્કાર કરી મયૂર મેઘની ગર્જનાને જેમ તે રાજા તેમની વાણરૂપ દેવતાએ કહેલે શ્રાવકધર્મ સાંભળશે. પિતાના કલ્યાણ રાશીની માફક તત્વ સમજીને સમ્યકત્વપૂર્વક શ્રાવક ધર્મને તે સ્વીકાર કરશે. મદ્યાદિક વ્યસનને નાશ કરી પૃથ્વી પર દયાધર્મ પ્રવર્તાવશે અને રૂદન કરતી સ્ત્રીઓનું ધન છેડી દઈ જૈનમંદિર બંધાવશે. એક દિવસ અમારું ચરિત્ર વાંચતા પિતાના ગુરુ મહારાજના સુખથી ધૂળમાં દટાઈ ગયેલી તે પ્રતિમા કુમારપાલના સાંભળવામાં આવશે. પછી તે રજા આપ્ત સેવક પાસે વીતભય નગરનું તે સ્થળ ખેદાવી પ્રતિમાને ઘેર લાવી ઘણા કાલ સુધી પૂજશે. એ પ્રમાણે શ્રીગુરુમહારાજે કહેલી શ્રી વીરચરિત્રની વાર્તા સાંભળી શ્રીયુત કુમારપાળ રાજાનું શરીર હર્ષથી રોમાંચિત થઈ ગયું અને હૃદયમાં વિચાર કરવા લાગ્યા. આ જગતમાં મને જ ધન્ય છે અને મારો જન્મ સફળ છે. અગણ્ય પુણ્યને હું એક પાત્ર છે. કારણ કે, શ્રી વીરભગવાને અભયમંત્રીની આગળ સુર, અસુર અને મનુષ્યની સમક્ષ મારા ભવિષ્યનું સમગ્ર વૃત્તાંત પિતે કહી સંભળાવ્યું.
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy