SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ કુમારપાળ ચરિત્ર વવાની ઈચ્છા કરી હતી, તે ચોવીશ હાથ ઉચે પ્રાસાદ તારંગાજી પર્વતપર બંધાવ્યો. તેમાં શ્રી અજીતનાથ ભગવાનની એકસે એક આંગળ પ્રમાણની મૂર્તિ બનાવરાવી પિતાના મૂર્તિમાન ધર્મની માફક તે મૂર્તિની સ્થાપના કરાવી. પછી સ્તંભતીર્થ–ખંભાતમાં ભગવાન શ્રીહેમચંદ્રસૂરિથી જ્યાં વ્રતલાભ થયે હતા, તે શ્રીઆલિંગ નામે જિનમંદિર બહુ જ જીર્ણ થયું હતું, તે મંદિરને ગુરુના નેહવડે મૂલમાંથી નવીન કરાવી તેમાં શ્રીવીરભગવાનની રત્નમયી મૂર્તિ સ્થાપના કરી. એ સર્વ ચૈત્યમાં મોટા ઉત્સવપૂર્વક શ્રી હેમચંદ્રસૂરિએ વિધિ પ્રમાણે પિતાના હાથે પ્રતિષ્ઠા કરી અને દરેક ચૈત્યેની પૂજા માટે પુપોથી ભરપૂર ઘણા બગીચાઓ અને ભેગને માટે ઘણું ધન શ્રીમાન કુમારપાલભૂપતિએ આપ્યું. ત્યારબાદ પિતાના પ્રધાનોને તેમણે આજ્ઞા કરી, આપણને આપવા લાયક દંડના ઘનવડે તમારે પોતપોતાના દેશમાં કૈલાસ સમાન ઉન્નત ઘણા પ્રાસાદ કરાવવા. એમ રાજાના હુકમથી પ્રધાનેએ અન્ય દેશોમાં પણ આજ્ઞાંક્તિ રાજાઓ પાસે મોટાં જૈન મંદિરો કરાવ્યાં. (૧) ગૂર્જર, (૨) લાટ, (૩) સૌરાષ્ટ્ર (૪) ભંભેરી, (૫) કચ્છ, (૬) સિંધવ (૭) ઉચ્ચ, (૮) જાલંધર (૯) કાશ, (૧૦) સપાદલક્ષ (૧૧) અંતર્વેદિ (૧૨) મરૂ, (૧૩) મેદપાટ (૧) માલવ (૧૫) આભીર, (૧૬) મહારાષ્ટ્ર (૧૭) કર્ણાટક અને (૧૮) કોંકણુ એ અઢારે દેશમાં શ્રીમાન કુમારપાલરાજાએ કરાવેલા પ્રાસાદો જાણે. મૂર્તિમાન તેની કીર્તિના સમૂહ હોય તેમ શોભતા હતા. આ પ્રસંગે કવિઓએ કલ્પના કરી. समुत्तीर्णाः स्वर्गा-दिह किमु विमानाः स्वयममी, भुव भित्त्वा प्राप-न्नुत भवनपव्यन्तरगृहाः । अथाऽभूवन रुप्य-स्फटिकहिमशैला गणतिथाः, વિદા રાજ–રતિ વિમિરાત જ્ઞાતિ ૧
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy