SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ કુમારપાળ ચરિત્ર એવા સૂરિશિરોમણિ શ્રીહેમચંદ્રાચાય સુધાસમાન ઉત્કૃષ્ટવાણીવડે કહેવા લાગ્યા. ચાર ગતિમય સ’સારરૂપ ઉત્કટ વનને ભાંગવામાં હસ્તી સમાન દાન, શીલ, તપ અને ભાવવડે તે ધમ ચાર પ્રકારના છે. તેમાં સ્વર્ગ અને માક્ષનું કારણભૂત જે દાન, અભય, જ્ઞાન અને ધનાં ઉપકરણરૂપ ભેદથી ત્રણ પ્રકારનુ કહ્યુ છે. વળી મૃત્યુથી ભય પામેલા પ્રાણીઓનુ` સંરક્ષણ કરવું, તેને પુણ્યશ્રીને વધારવામાં ખાસ તત્ત્વરૂપ પ્રથમ અભયદાન કહ્યું છે. સુમેરૂથી અન્ય કોઈ સ્થિર નથી, આકાશથી ખીજુ કાઈ વિશાલ નથી અને સમુદ્રથી અન્ય કોઈ શુદ્ધ નથી તેમજ અભયદાનથી આજુ કોઈ હિત નથી. આગમ અને સૂત્રાના અધ્યાપનાદિવડે સાધુએના મેધની જે વૃદ્ધિ થાય, તેને વિદ્વાન પુરુષ જ્ઞાનદાન કહે છે. જેણે અજ્ઞાનરૂપ અધકારને દૂર કરવામાં સૂર્ય સમાન જ્ઞાનના ઉલ્લાસ કર્યો છે, તેણે સમસ્ત પદાર્થનું પ્રકાશ કરનાર ત્રિજુલેાચન આપ્યુ, એમ જાણવુ.. જેમના આપવાથી મુનિનું સાધુપણું સચવાય, તેને ધર્મોનુ અવલંબન હેાવાથી ઉત્તમ પ્રકારનું ત્રિજુટ્ઠાન જાણવું. તેમજ બુદ્ધિમાન પુરુષે પ્રસન્ન મુખથી આકાંક્ષા રહિત ામાંચિત થઇ પુણ્યની વૃદ્ધિ માટે સુપાત્રને શુદ્ધ અન્નાક્રિક આપવું. માણિકયરત્નથી દીપતા સુવર્ણની માફક જેની અ ંદર ક્રિયા સહિત જ્ઞાન રહ્યું હાય, તેને દુર્ગાંતિપાતના રક્ષક હાવાથી વિદ્વાન પુરુષા પાત્ર કહે છે. વળી પાત્ર અપાત્રના વિચાર કર્યાં વિના દયા દાન આપવું', તે પણ દુ:ખી જનેાને બહુ ઉપકારક હેાવાથી ઉત્કટ પુણ્યદાયક થાય છે. જેના માટે જગતના અધિપતિ શ્રીમાન જિનેંદ્ર ભગવાન પણ ઉંચા હાથ કરે છે, તેવા ઉત્તમ પ્રકારના દાનને! મહિમા કહેવાને કાણ સમથ થાય ? જેમકે,
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy