SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ મહરાજ અને જ્ઞાનાદર્શ દુત કુમારપાલે બંનેને અભિપ્રાય જાણી પિતે ઉત્તર આપે અને સંદિષ્ટ કાર્ય સિદ્ધ કરે એવા જ્ઞાનદર્પણ નામે દૂતને મેહરાજા પાસે મોકલ્યા. જ્ઞાનદ૫ણ રાજદ્વારમાં ગયા. દર્શાવેત્રી-છડીદાર તેને આગળ કરી મેહરાજાની સભામાં લઈ ગયા. મહરાજ અને જ્ઞાનાદર્શદત. શારીરિક તેજવડે દુધઈ, ઉકૃષ્ટ વૈભવથી વિરાજીત, દુષ્ટ દષ્ટિ વિષ સર્ષની માફક દરથી પણ દુઃખે જોવાલાયક, જગતને જ કરવામાં ઉદ્ધત એવા ક્રોધાદિક પુત્રવડે યુક્ત, અનુચિત વંઠ સમાન ઉત્કંઠ એવા મિથ્યાત્વાદિ સુભટોથી પરિવૃત અને સાક્ષાત્ ત્રાસની મૂર્તિ હેયને શું? તેમ મનથી પણ નહી છતાય તેવા મોહ મહારાજને જોઈને પણ જ્ઞાનાદશદુત કિંચિત માત્ર પણ ભય પામે નહીં અને પિતાને કહેવા લાયક વચન બોલ્યો. રે મેહ ! પ્રથમ રીન્ય સહિત તારે જેણે પરાજય કર્યો હતો, તે શ્રી હેમચંદ્રસૂરિના ચરણકમલમાં ભ્રમર સમાન શ્રી કુમારપાળરાજા તને જીતવા માટે તારા નગરની પાસમાં આવેલ છે અને એણે મને અહીં મેક છે. મારે તને એટલું જણાવવાનું છે કે, સમગ્ર જગતને આક્રમણ કરી ઉન્મત્ત થયેલા તેં શ્રીમાન ધર્મરાજાને પોતાના સ્થાનમાંથી ભ્રષ્ટ કર્યો છે. તેથી તે નિરાશ થઈ શ્રી હેમચંદ્રસૂરિ પાસે આવ્યા. સૂરીશ્વરના વચનથી પોતાની પુત્રી કૃપા તેણે ચૌલુક્યરાજા સાથે પરણાવી છે. હવે કૃતજ્ઞતાને લીધે તે શ્રીકુમારપાલરાજા પોતાના સસરાને પુનઃ રાજ્યાભિષેક કરવા પ્રયત્ન કરે છે. કારણ કે, “સપુરુષની રીતિ પ્રીતિને વધારવા માટે એવી જ હોય છે.” તેમજ પિતાના રીન્ય સાથે શ્રીમાન ધર્મરાજા પણ જયની ઈચ્છાથી તેની પાસે આવે છે, માટે જલદી તું ત્યાં આવી તેની આજ્ઞાને સ્વીકાર કર.
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy